Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

સુર્યરામપરા પાસે બાઇક ખૂંટીયા સાથે ભટકાતા ટ્રાવેલ્સના સંચાલક બળવંતસિંહ ઝાલાનું મોત

ત્રણ દિવસ પહેલા બળવંતસિંહ બાઇક લઇને ખેરવા ગામે વાડીએ જાતા'તા

રાજકોટ તા.૧૨:  કુવાડવા - વાંકાનેર રોડ ઉપર સૂર્યરામપરા પાસે ત્રણ દિવસ પહેલા બાઇક ખૂંટીયા સાથે ભટકાતા લક્ષ્મીવાડીમાં રહેતા ટ્રાવેલ્સ સંચાલક વૃધ્ધને ઈજા થતા તેનું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતુ.

મળતી વિગત મુજબ કેનાલ રોડ પર લક્ષ્મીવાડીમાં રહેતા અને બળદેવ ટ્રાવેલ્સના સંચાલક બળવંત સિંહ ધીરૂભા ઝાલા(ઉ.વ.૭૪) ગત તા. ૯/૧૧ના રોજ પોતાનું બાઇક લઇને ખેરવા ગામ પાસે પોતાની વાડીએ જતા હતા. ત્યારે વાંકાનેર રોડ પર સૂર્યરામપરા ગામ પાસે બાઇકની આડે અચાનક ખૂંટીયો ઉતરતા બાઇક ખૂંટીયા સાથે ભટકાતા વૃધ્ધને માથાના ભાગે ગંભીર ઈજા થતા તેને સારવાર માટે રાજકોટ ગોકુળ હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં રાત્રે તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતુ. બનાવની જાણ થતા કુવાડવા રોડ પોલીસ મથકના એએસઆઇ ફતેસિંહ સોલંકી તથા હેમંતભાઇ ધરજીયાએ કાર્યવાહી કરી હતી. મૃતક બળવંતસિંહ ઉર્ફે જગુભા , રાજભા અને પ્રધ્યુમનસિંહ ઉર્ફે પરેશ છે.  મહેન્દ્રસિંહ અને પ્રધ્યુમનસિંહ, જુના બસસ્ટેન્ડ પાછળ બળદેવ ટ્રાવેલ્સનું સંચાલન કરે છે. પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

(11:29 am IST)