Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

કોટડા સાંગાણીના આણંદપર નવાગામમાં સળગી જનાર રમેશભાઇ કોળીનું મોત

રાજકોટતા.૧૨: કોટડાસાંગાણીના આણંદપર નવાગામની નદીના પટ્ટમાં સળગી જનાર કોળી યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજયું હતુ઼. પ્રાપ્ત વિગતો મુજબ કોટડાસાંગાણીના આણંદપર નવાગામની નદીના પટ્ટમાં રમેશભાઇ મેરામભાઇ સરવૈયા કોળી(ઉે.વ.૪૦)એ પોતાના શરીર પર કેરોસીન છાંટી કાંડી ચાંપી દેતા ગંભીર હાલતમાં ૧૦૮ મારફત સારવાર અર્થે રાજકોટ ખસેડાયો હતો પરંતુ ત્યાં તેનો મૃતદેહ જ પહોચ્યો હતો.

મૃતક કોળી યુવાન અસ્થિર મગજનો હોવાનું પોલીસે જણાવ્યું હતું. બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(11:44 am IST)