Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

ભારે વરસાદના કારણે સાવરકુંડલા-અમરેલી વચ્ચેનું ડાયવર્ઝન ધોવાયું : મોટા વાહનો માટે ચલાલા તરફનો રસ્તો ચાલુ

સાવરકુંડલા, તા. ૧૦ : સાવરકુંડલા-અમરેલી માર્ગમાં લાપાળીયા ગામ પાસે નદી ઉપર નવા બ્રીજ બનાવવાની કામગીરી ચાલુ છે જેથી પુલથી નજીકમાં કોઝવેમાં થઇ પાકુ ડાયવર્ઝન કરવામાં આવ્યું છે.

ગઇકાલે રાત્રે ઉપરવાસમાં થયેલા વરસાદનું કોઝવેમાંથી પસાર થતું ડાયવર્ઝન ધોવાઇ જતા ગઇકાલે રાત્રીભર અમરેલી-સાવરકુંડલાનો વાહન વ્યવહાર બંધ થઇ જવા પામ્યો હતો.

જોકે આજે વહેલી સવારથી જ બન્ને દિશાએથી લાપાળીયા સુધી આવેલા વાહનોને પરત ન જવું પડે તે માટે નિર્માણ પામી રહેલ પુલ નાના-ફોર વ્હીલ વાહનો માટે ખુલ્લો કરી દેવામાં આવતા આવા વાહન ચાલકો પુલ ઉપરથી પસાર થઇ રહ્યા છે.

જયારે મોટા મોટા ટ્રેલર-ટ્રકો વાયા ચલાલાથી સાવરકુંડલા-રાજુલા-મહુવા તરફ જઇ રહ્યા છે.

(11:47 am IST)