Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

જસદણમાં કુંવરજીભાઇ બાવળિયાનું સન્માન

જસદણ : અનાજ કિરાણા એસોશિએશન દ્વારા પ્રમુખ ભુપતભાઇ પરીખની આગેવાનીમાં અમરપુર સંસ્થા ખાતે કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાનું શાલ, પુષ્પમાળા પહેરાવી પેંડા ખવરાવી સન્માન કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે ચંદુભાઇ ગોટી, વિનુભાઇ છાયાણી, રમેશભાઇ ભલાણી, અલકેશભાઇ પરીખ, હેમલભાઇ બાબરીયા, અમરીશભાઇ ધ્રાફાણી, જીજ્ઞેશભાઇ બાબરીયા સહિતનાએ કુંવરજીભાઇ બાવળીયાનું સન્માન કર્યુ હતુ. સન્માન બાદ પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ વેપારીને લગતા કોઇપણ પ્રશ્નો હોય તો તેમને જણાવવા વેપારી આગેવાનોને કહ્યુ હતુ. જસદણ વિસ્તારને મંત્રી પદ મળવા બદલ વેપારીઓએ ખુશી વ્યકત કરી હતી. (૪૫.૩)

(12:27 pm IST)