Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

મછલીવડ ચોકડી પાસે નવેનવી કાર પલ્ટી ગઇઃ સુરેન્દ્રનગરના ત્રણને ઇજા

કુલદીપસિંહ, સિધ્ધરાજસિંહ અને લક્કીરાજસિંહને રાજકોટ ખસેડાયા

રાજકોટ તા. ૯: કાલાવડના મછલીવડ ચોકડી પાસે નવે નવી આઇ-ટ્વેન્ટી કાર પલ્ટી ખાઇ જતાં સુરેન્દ્રનગરના રતનપરના ત્રણ ક્ષત્રિય યુવાનોને ઇજા થઇ હતી.

જાણવા મળ્યા મુજબ સુરેન્દ્રનગરના રતનપરમાં માંડવરાય સોસાયટીમાં રહેતાં કુલદીપસિંહ સરદારસિંહ પરમાર (ઉ.૨૯), સિધ્ધરાજસિંહ નટુભા પરમાર (ઉ.૩૨) અને લક્કીરાજસિંહ નરેન્દ્રસિંહ (ઉ.૩૩) નવી આઇ ટ્વેન્ટી કાર લઇને ધ્રાફા ગયા હતાં. ત્યાંથી પરત સુરેન્દ્રનગર આવતી વખતે વહેલી સવાર કાલાવડના મછલીવડ ચોકડી પાસે પહોંચતા કાર એકાએક પલ્ટી ખાઇ જતાં ત્રણેયને ઇજા થતાં કાલાવડ સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના થોભણભાઇ ટીલારાએ કાલાવડ પોલીસને જાણ કરી હતી. (૧૪.૬)

(12:24 pm IST)