Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

મોરબીમા પતિના મોતના આઘાતમાં ગીતાબેને ઝેરી દવા ગટગટાવી લીધી

મુળ રાજકોટના બાવાજી મહિલા એક મહિના પહેલા જ મોરબી રહેવા ગયા છે

રાજકોટ તા. ૯: મોરબી વીસીપરામાં મસ્જીદ પાસે રહેતાં ગીતાબેન વિપુલગીરી ગોસ્વામી (ઉ.૪૫) નામના બાવાજી મહિલાએ ઝેરી દવા પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. ગીતાબેનને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પતિ વિપુલગીરીનું એક મહિના પહેલા જ અન્નનળીના કેન્સરને કારણે મૃત્યુ થયું છે. પુત્ર અક્ષયગીરીને ડ્રાઇવીંગનો ધંધો હોઇ અઠવાડીયા પહેલા જ તે માતા અને પત્નિ સાથે રાજકોટ આશાપુરાનગરમાંથી મોરબી રહેવા ગયો છે. અક્ષયગીરીના કહેવા મુજબ પિતાના મોતના આઘાતને કારણે માતા ગીતાબેને આ પગલું ભર્યુ છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે મોરબી પોલીસને જાણ કરી હતી.

નવા દેવળીયામાં વસંતબા પરમારે એસિડ પી લીધું

હળવદના નવા દેવળીયા ગામે રહેતાં વસંતબા ઇન્દ્રસિંહ પરમાર (ઉ.૪૯)એ માનસિક બિમારીથી કંટાળી એસિડ પી લેતાં મોરબી ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાયા છે. તેમના પતિ ખેતી કરી ગુજરાન ચલાવે છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે મોરબી જાણ કરી હતી. (૧૪.૬)

(12:24 pm IST)