Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

માણસામાં પરીખ પરિવાર દ્વારા ભાગવત્ કથાઃ મોરબીના બિપીનભાઈ વ્યાસ વકતા

રાજકોટ, તા. ૭  :. ગાંધીનગર પાસેના માણસા ખાતે પરીખ ઈન્દુબેન છબીલદાસ પરિવાર દ્વારા તા. ૮ થી ૧૪ સપ્ટેમ્બર નાગર વણિકની વાડી, વાવ દરવાજા શ્રીમદ્દ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયેલ છે. જેના વ્યાસાસને મોરબીવાળા જાણીતા કથાકાર શ્રી બિપીનભાઈ વ્યાસ બિરાજી સંગીતમય શૈલીમાં કથાશ્રવણ કરાવશે. પ્રથમ દિવસે સવારે ૮.૩૦ વાગ્યે દ્વારકાધીશ મંદિરથી શ્રી ગોવર્ધન મંદિર થઈને પોથીયાત્રા કથા સ્થળે પહોંચશે. કથાનો સમય દરરોજ સવારે ૯ થી ૧૨ અને સાંજે ૩ થી ૬નો રહેશે. સૌને કથાશ્રવણનો લાભ લેવા આયોજકોએ જાહેર નિમંત્રણ પાઠવ્યુ છે.

 

(10:21 am IST)