Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

ભાવનગરમાં કોરોનાનો કહેર યથાવત : નવા 44 કેસ પોઝીટીવ : શહેરમાં 23 કેસ સહીત ગ્રામ્યમાં વધુ 21 કેસ પોઝિટિવ નોંધાયા

જિલ્લામાં નોંધાયેલા ૧,૭૧૨ કેસો પૈકી ૪૪૩ દર્દીઓ હાલ સારવાર હેઠળ: કુલ ૧,૨૩૨ દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

ભાવનગર :ભાવનગર જિલ્લામા આજરોજ ૪૪ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૧,૭૧૨ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૬ પુરૂષ અને ૭ સ્ત્રી મળી કુલ ૨૩ કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા ભાવનગર તાલુકાના અધેવાડા ગામ ખાતે ૩, ભાવનગર તાલુકાના ભુતેશ્વર ગામ ખાતે ૧, ભાવનગર તાલુકાના નવાગામ (ચિરોડા) ગામ ખાતે ૧, ગારીયાધાર ખાતે ૨, પાલીતાણા ખાતે ૪, સિહોર ખાતે ૩, ઉમરાળા તાલુકાના ઘોળા ગામ ખાતે ૩, ઉમરાળા તાલુકાના ટીંબી ગામ ખાતે ૨, ઉમરાળા તાલુકાના દડવા ગામ ખાતે ૧ તથા વલ્લભીપુર ખાતે ૧ કેસ મળી કુલ ૨૧ લોકોના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.

 

જ્યારે આજરોજ ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના ૨૬ અને તાલુકાઓના ૧૩ એમ કુલ ૩૯ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ તમામ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.
આમ જિલ્લામા નોંધાયેલા ૧,૭૧૨ કેસ પૈકી હાલ ૪૪૩ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ ૧,૨૩૨ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૩૦ દર્દીઓનુ અવસાન થયેલ છે.

(8:40 pm IST)