Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

મોરબી-ટંકારામાં અયોધ્યા ઉજવણી

મોરબીઃ જીલ્લામાં રામ મંદિર શિલાન્યાસ પ્રસંગને ધ્યાને લઈને જીલ્લા ભાજપ પ્રમુખ રાદ્યવજીભાઈ ગડારાના માર્ગદર્શન હેઠળ યુવા અગ્રણી અજયભાઈ લોરિયા અને તેની ટીમ દ્વારા ૭૧૦૦ પેંડાના બોકસ અને ૭૧૦૦ દીવડા વિતરણ કર્યા હતા જયારે જલારામ મંદિરે મહાઆરતીમાંઙ્ગ મોરબી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અગ્રણી ગીરીશભાઈ દ્યેલાણી, સી.ડી. રામાવત, નિર્મિત કક્કડ, બદ્રીપ્રસાદ અગ્રાવત, અનિસ સોમૈયા, હસુભાઈ પંડીત, નરસીભાઈ રાઠોડ, મનોજ ચંદારાણા સહીતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તો અયોધ્યામાં ભવ્ય રામમંદિર માટે શિલાન્યાસ કરવામાં આવી રહયો છે ત્યારે મોરબી જિલ્લા મહિલા મોરચાના બહેનો દ્વારા મોરબી શહેરમાં પેંડા અને દિવડા વહેંચીને ખુશી વ્યકત કરવામા આવી હતી. ટંકારામાં પણ ઉજવણી અને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો જેમાં ટંકારામાં રાજબાઈ ગરબી મંડળ દ્વારા રાહદારીઓને મીઠાઈ વહેંચી ખુશી વ્યકત કરી આ પ્રસંગે પૂર્વ સરપંચ કાના ભાઈ ત્રિવેદી, ગોવિંદભાઈ આસર, ગોપાલભાઈ આસર, રણજીતભાઈ ગઢવી, ગોપાલ કટારીયા હાજર રહ્યા હતા જયારે મોરબીના દરબાર ગઢ નજીક આવેલ શ્રી રામ મહલ મંદિર ખાતે પણ આરતીમાં મહંત તેમજ વિશ્વ હિંદુ પરિષદ અગ્રણી કમલ દવે, ભાવિકભાઈ ભટ્ટ, કરણભાઈ પરમાર સહિતના વિહિપ અને બજરંગ દળ અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા. અયોધ્યા રામમંદિર શિલાન્યાસ ઉજવણીની તસ્વીર.

(11:52 am IST)