Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

સુરેન્દ્રનગર લક્ષ્મીપરા વિસ્તારમાં ગેસનો બાટલો ફાટયોઃ આગથી દાદા-પૌત્રી દાઝયાઃ વૃદ્ધનું મોતઃ બાળકીની તબીયત નાજુક

વઢવાણ,તા.૫: લક્ષ્મી પરા વિસ્તારમાં ભાડાના મકાનમાં રેહતા અને બે નંબરની શેરીના કોર્નર ઉપર વસવાટ કરતા નિવૃત રેલ્વે કર્મચારી અબ્દુલભાઇના ઘરે બપોરેના સમય અચાનક ગેસનો બાટલો ફાટયો હતો.

૨ તારીખે બપોરના સમયે ઘરમાં બાટલો લીક થતા આગ લાગી હતી.ત્યારે આ આગના પગલે ઘર માં રહેલ અબ્દુલ ભાઈ ઉમર વર્ષ ૮૨ અને પૌત્રી ઇશરત ઉમર ૧૫ ખૂબ ગંભીર રીતે દાજયા હતા.ત્યારે બન્ને ને સારવાર માટે અમદાવાદ ખાતે ખેસેડવા માં આવીયા હતા.

ગેસ નો બાટલો ફાટતા આજુ બાજુ ના રાહેવસીઓ માં અફડાતફડી મચી જવા પામી હતી.ત્યારે આ ગેસ નો બાટલો ફાટતા ભાડા ના મકાન માં રહતા અબ્દુલ ભાઈ ના દ્યર માં આગ લાગી હતી.

અહીં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા અહીં ની હોસ્પિટલમાં થી વધુ પડતી બન્ને ની તબિયત નાજુક હોવા ના કારણે અમદાવાદ ખાતે ખસેડવા માં આવીયા હતા.ત્યારે ગઈ કાલે બપોર ના સમયે અબ્દુલ ભાઈ એ દમ તોડ્યો હતો.ત્યારે હજુ પણ બાળકી ની તબિયત અત્યંત નાજુક છે.અને બાળકી પણ ૯૫% શરીરે દાજી ચુકી છે.

હાલ પરિવાર માં અચાનક રેલવે નિવૃત્ત્। કર્મચારી અબ્દુલ ભાઈનું અવસાન થતાં કલ્પાંત સર્જાયો છે.ત્યારે આગામી સમય માં ભગવાન પાસે બાળકી બચી જજાવાની દુઆઓ કરવામાં આવી રહી છે.

(1:16 pm IST)