Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

વાંકાનેરના સિંધાવદરમાં દારૂ પીવાની ના પાડતા ભીલ યુવાનનો આપઘાત

વાંકાનેરના સિંધાવદર ગામના રહેવાસી ધારાસિંહ શંકરસિંહ વસુનીયા (ઉ.વ.૩૦) નામના ભીલ યુવાને ઝેરી દવા પી લેતા તેનું મોત થયું છે જે બનાવ મામલે પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે યુવાન પોતાના પરિવાર સાથે આઠેક દિવસથી આવી ખેત મજુરી કરતો હતો જેને અગાઉ દારુ પીવાની આદત હોય અને અહિયાં દારૂ પીવા અંગે તેના પત્નીએ ના પાડતા સારું નહિ લાગતા મનમાં લાગી આવતા દવા પી આયખું ટુંકાવ્યું હતું વાંકાનેર તાલુકા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે

(1:04 am IST)