Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

મરકજમાં જુનાગઢ જિલ્લાની એક પણ વ્યકિત નથી થઇ સામેલ

દિલ્હી ગયા હોય એવા લોકોની મેળવાઇ રહી છે માહિતી

જૂનાગઢ તા. ૧ : મરકજમાં જુનાગઢ જિલ્લાની એક પણ વ્યકિત સામેલ થઇ ન હોવાનું અને સોરઠમાંથી તાજેતરમાં કોઇ દિલ્હી ગયેલ કે કેમ તે અંગેની માહિતી તંત્ર દ્વારા મેળવવામાં આવી રહી હોવાનું જાણવા મળેલ છે.

દિલ્હીના નિઝામુદ્દીનમાં કોરોના વાયરસનું હોટ સ્પોટ બનેલા મરકજમાંથી દેશના વિવિધ હિસ્સામાં ગયેલા ૮૦૦ લોકોને શોધવાનું અભિયાન ચાલી રહ્યું છે.

ત્યારે જુનાગઢ એસ.પી. સૌરભસિંઘે અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે, મરકજમાં જુનાગઢ જિલ્લામાંથી કોઇ ગયું હોય તેવી એક પણ વ્યકિત તંત્રને મળી આવી નથી.  એસ.પી. સૌરભસિંઘે સ્પષ્ટતા કરતા જણાવેલ કે, હાલ કોરોના સંક્રમણને લઇ સોરઠમાંથી તાજેતરમાં કોઇ વ્યકિત દિલ્હી ગયેલ કે કેમ તે અંગે તંત્ર દ્વારા માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.

(1:25 pm IST)