Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

મોરબીમાં કિન્નરો દ્વારા રાશનકીટનું વિતરણ

મોરબીઃ  કોરોના મહામારીને પગલે દેશમાં ૨૧ દિવસનું લોકડાઉન કરવામાં આવ્યું છે ત્યારે સેવાકીય પ્રવૃતિઓ પણ વધી રહી છે જેમાં કિન્નરો પણ હવે સેવાકાર્યો માટે આગળ આવ્યા છે.નાની બજાર નજીક આવેલ મઠના કિન્નરો દ્વારા હીરા દે દિવાળી દે, રેખા દે પદમાં દે, ખુશ્બુ દે હીરા દે, પ્રિયા દે વૈશાલી દે અને કોમલ દે રેખા દે સહિતના કિન્નરો દ્વારા શહેરના પછાત અને ઝુપડપટ્ટી વિસ્તારમાં ૧૫૦ જેટલી રાશન કીટનું વિતરણ કરાયું હતું અને આ મુશ્કેલીના સમયમાં કિન્નરો પણ સમાજ સેવામાં પાછળ નહિ રહે તેમ જણાવ્યું હતું. રાશનકીટનું વિતરણ કરનાર કિન્નરોની તસ્વીર.

(1:20 pm IST)