Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

શિવસેના દ્વારા સેવાની સુહાસ

કોરોના વાઇરસે સર્જેલી લોકડાઉનની સ્થિતિમાં જે લોકોની જીવન સાયકલ ગોટે ચડી ગઇ હોય અને ભોજન સામગ્રીના ફાફા પડતા હોય તેવા લોકો માટે શિવસેનાએ સેવાની સુહાસ પ્રસરાવી છે. શિવસેના પ્રમુખ જીમ્મી અડવાણી અને તેમના સાથી મિત્રો દ્વારા શહેરના અટીકા, આજી ડેમ, યાર્ડ પાછળનો વિસ્તાર, યુનિવર્સિટી રોડ સ્લમ વિસ્તાર, શીતળાનગર, કોઠારીયાનગર સહીતના વિસ્તારોમાં ફરી ભોજન પહોંચાડયુ છે. આ સેવા યજ્ઞમાં જયપાલસિંહ જાડેજા, ચંદુભાઇ પાટડીયા, સંજય ટાંક, નિલેશ ચૌહાણ, રાજન દાશાની, રવિ ગોંડલીયા, બીપીન મકવાણા, પ્રકાશ જીંજુવાડીયા, વંદન ટાંક વગેરે સાથે જોડાયા હતા. આ સેવા કાર્યને રાજકોટ પુરતુ મર્યાદીત ન રાખતા સૌરાષ્ટ્રમાં વિસ્તારી કોડીનારમાં રાજુભાઇ બાંભણીયા, પાર્થ પુરોહીત, નાગજીભાઇ ભલીયા તેમજ ગાંધીધામ કચ્છ ખાતે અનિલ શ્રીમાલી, ભાવેશ ડગલી,  અંજારમાં ઇશ્વર ભાનુશાલી, સૂરજ ભાનુશાલી, બોટાદમાં ધ્રુવરાજસિંહ, અજય પરમાર, પાલીતાણામાં નકુમભાઇ ભાવનગર, જીવનભાઇ પરમાર વગેરે આ સેવાકાર્યમાં જોડાયા હતા.

(4:21 pm IST)