Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

થોરાળામાં મધુરમ ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં કારખાનેદારનું બેભાન હાલતમાં મોત

રાજકોટ તા. ૩૧ : થોરાળાના મધુરમ ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં આવેલા કારખાના પાસે પરપ્રાંતીય કારખાનેદારનું બેભાન હાલતમાં મોત નિપજયું હતું.

મળતી વિગત મુજબ મધુરમ ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં પ્લોટ નં. ૭૯/એમાં આવેલ 'હરી ઓટોમેશન' નામના કારખાનું ધરાવતા કિશનમુર્તી પુન્ના સ્વામી (ઉ.૭૪) ગઇકાલે પોતાના કારખાના શટર પાસે એકાએક બેભાન થઇ જતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને જાણ કરવા ૧૦૮ ના ઇએમટી નિલેશભાઇએ તપાસ કરતા તેનું મોત નિપજયું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી જાણ થતા થોરાળા પોલીસ મથકના પીએસઆઇ એચ.વી. વડાવીયા તથા રાઇટર કિશોરભાઇ પરમારે કાર્યવાહી કરી હતી મૃતક કિશનમુર્તિ એકતા કારખાનું ચલાવતા હતા અને કારખામાંજ રહેતા હતા.

(3:44 pm IST)