Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

કોર્પોરેશનની ૧૫ સમિતિના ચેરમેનોએ વાજતે- ગાજતે ચાર્જ સંભાળ્યો

રાજકોટઃ મ્યુનિ.કોર્પોરેશનની બાંધકામ, આરોગ્ય, સમાજ કલ્યાણ સહિતની ૧૫ વિવિધ સમિતિનાં ચેરમોન અને સભ્યોની નિમણુંક કરવામાં આવી હતી. આજે સાવરે ૧૧ કલાકે મ્યુનિ. કોર્પોરેશનની વિવિધ સમિતિનાં ચેરમેન-ચેરપર્સનોએ વાજતે-ગાજતે કાર્યભાર સંભાળી લીધો હતો.ઉપરોકત પ્રથમ તસ્વીરમાં  મેયર બીનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિન મોલીયા, સ્ટેન્ડિગ ચેરમેન ઉદયભાઇ કાનગડ, શાસક પક્ષનાં નેતા દલસુખભાઇ જાગાણી, દંડક અજય પરમાર સહિતનાં પદાધિારીઓ૧૫ સમિતિનાં ચેરમેનો- ચેરપર્સન નજરે પડે છે. નવ નિયુકત સમિતિનાં ચેરમેનો-ચેરપર્સનને અભિનંદન-શુભેચ્છા આપવા કાર્યકરો કચેરીમાં ઉમટી પડયા હતા જે તસ્વીરમાં દર્શાય છે. અન્ય તસ્વીરમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, નીતીનભાઇ ભારદ્વાજ, વંદનાબેન ભારદ્વાજ, અરવિંદ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, પ્રફુલભાઇ કાઠરોટીયા, દેવાંગ માંકડ, રાજુભાઇ બોરીચા, જીતુભાઇ કોઠારી, કીશોરભાઇ રાઠોડ, અનિલભાઇ રાઠોડ, વિક્રમ પુજારા, હરિભાઇ ડાંગર, હરેશભાઇ જોશી, દિલીપભાઇ પટેલ, ધર્મેન્દ્રભાઇ ભગત, અનિલભાઇ પારેખ, નીતાબેન વઘાસીયા, ગૌતમ ગૌસ્વામી, દિનેશ કારીયા, જીજ્ઞેશ જોશી, જંયતીભાઇ સરધારા, વીરેન કાચા, રાજુ ફળદુ, નીતીનભાઇ ભુત સહિતનાં કાર્યકરોએ નવ નિયુકત ચેરમનો-ચેરપર્સનોને પુષ્પગુચ્છ આપી શુભેચ્છા સાથે અભિનંદન પાઠવ્યા હતા તે વખતની તસ્વીર નજરે પડે છે.(તસ્વીર-સંદિપ બગથરીયા) 

(3:56 pm IST)