Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

ચોટીલાના પીપળીયામાં દાઝી જતાં પારસબેન બરાળીયાનું મોત

રાજકોટ તા. ૧૮: ચોટીલાના પીપળીયા ગામે રહેતી પારસબેન એભલભાઇ બરાળીયા (ઉ.૨૭)નું દાઝી જતાં મોત નિપજ્યું છે.

પીપળીયા ગામે રહેતી પારસબેન ગઇકાલે વહેલી સવારે ચુલા પર રસોઇ બનાવી રહી હતી ત્યારે ભડકો થતાં દાઝી જતાં ચોટીલા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ ગત સાંજે દમ તોડી દીધો હતો. હોસ્પિટલ ચોકીના એએઅઆઇ હરેશભાઇ રત્નોત્તર તથા ધીરેનભાઇ ગઢવીએ ચોટીલા પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનારના લગ્ન આઠ વર્ષ પહેલા થયા હતાં. ચોટીલા પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે. (૧૪.૮)

(12:52 pm IST)