Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

ગંજીવાડાની સગીરાના અપહરણના ગુનામાં સાાત મહિનાથી ફરાર અજય ઉર્ફે અજો પકડાયો

થોરાળા પોલીસ મથકના એએસઆઇ બી.જે. જાડેજા અને નગરસંગભાઇની બાતમીઃ કોળી શખ્સને આઇટીઆઇ પાસેથી દબોચ્યો

રાજકોટ તા.૧૮: ગંજીવાડા વિસ્તારની ૧૫ વર્ષની સગીરાના અપહરણના ગુન્હામાં સાત માસથી ફરાર લોઠડાના કોળી શખ્સને આઇટીઆઇ પાસેથી પકડી લીધો હતો.

મળતી વિગતો મુજબ શહેરના ગંજીવાડા વિસ્તારમાં રહેતી ૧૫ વર્ષની સગીરાને સાત મહિના પહેલા લોઠડાનો અજય કોળી નામનો શખ્સ ૧૫ વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઇરાદે ભગાડી ગયો હતો. આ બનાવમાં થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ થઇ હતી આ મામલે થોરાળા પોલીસ મથકના પી.આઇ. બી.ટી. વાઢીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી.ડી. જાદવ તથા એએસઆઇ બી.જે. જાડેજા, નરસંગભાઇ, કનુભાઇ તથા વિજયભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે એએસઆઇ બી.જે. જાડેજા અને નરસંગભાઇને મળેલી બાતમીના આધારે ભાવનગર રોડ પર આવેલ આઇ.ટી.આઇ. પાસેથી લોઠડા ગામના અજય ઉર્ફે અજો જેરામભાઇ મેણીયા (ઉ.વ.૨૧) (કોળી)ને પકડી લીધો હતો.

(3:46 pm IST)