Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

આજી ડેમ અને રૈયા સ્માર્ટ સિટી એરિયાના ત્રણ સરોવર ખાતે ગણેશ વિસર્જન પર પ્રતિબંધ : પોલીસ બંદોબસ્ત મુકાવતા મ્યુનિ.કમિશનર

આજી ડેમ ખાતે ગણેશ વિસર્જન માટે આવેલા નાગરિકોને સમજાવટ સાથે પાછા મોકલ્યા

રાજકોટ:મહાનગરપાલિકા દ્વારા શહેરના આજી-૧ ડેમ અને રૈયા સ્માર્ટ સિટી એરીયામાં આવેલા અટલ સરોવર, પરશુરામ સરોવર અને રૈયા ગામ પાસેના સરોવરના જળમાં શ્રી ગણેશજીની પ્રતિમાના વિસર્જન પર મુકાયેલા પ્રતિબંધને પગલે મ્યુનિ. કમિશનરએ સાવચેતીના ભાગરૂપે તેમજ પાણી પ્રદુષિત ના થાય તેવા આશય સાથે આ ચારેય સ્થળોએ વિજીલન્સ પોલીસના જવાનોનો બંદોબસ્ત ગોઠવી દેવડાવ્યો હતો.

 મ્યુનિ. કમિશનરએ આ અંગે એમ જણાવ્યું હતું કે, વિજીલન્સ પોલીસ દ્વારા આજી ડેમ ખાતે ગણેશ વિસર્જન માટે આવેલા નાગરિકોને સમજાવટ સાથે પાછા મોકલ્યા હતાં. આગામી દિવસોમાં શ્રી ગણેશ ઉત્સવ ચાલે ત્યાં સુધી ચારેય જળાશયો ખાતે વહેલી સવારથી મોદી રાત્રિ સુધી પોલીસ બંદોબસ્ત રાખવામાં આવશે. શહેરના નાગરિકો પણ આ વ્યવસ્થામાં રાજકોટ મહાનગરપાલિકાને સહયોગ પ્રદાન કરે તેવી જાહેર અપીલ કરવામાં આવે છે.

(9:43 pm IST)