Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

સર્વેશ્વર ચોક ટ્રસ્ટ દ્વારા દવા છંટકાવ કરાવાયો

વૈશ્વિક મહામારી - કોરોના - કોવિડ - ૧૯ સંદર્ભે રાજકોટ શહેરને વાયરસ મુકત કરવાના પ્રયાસરૂપે શહેરની જનતાને આ ગંભીર વાયરસના ફેલાવાથી બચાવવા ર્ંશ્રી સર્વેશ્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટ - રાજકોર્ટં દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં દવા છાંટી સામાજીક જવાબદારી નિભાવવા પહેલ કરી છે.. જે તસ્વીરમાં દર્શાય છે. રાજકોટ શહેરના કેતનભાઈ સાપરીયા, જતીનભાઈ માનસતા, અલ્લાઉદ્દીનભાઈ કારીયાણીયા, અનિલભાઈ તન્ના, અતુલભાઈ કોઠારી, બહાદુરભાઈ કોટીલા, સમીરભાઈ દોશી, હિતેશભાઈ જેઠવા, સંદીપભાઈ ડોડીયા, વિપુલભાઈ ગોહેલ (જીણુભા), જયેશ જોષી (રામકાકા), શૈલેષભાઇ પરમાર, હિતેષભાઈ મહેતા (લાલભાઈ) તથા સર્વેશ્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટના તમામ કાર્યકર ભાઈઓએ સેવાયજ્ઞ આરંભી રાજકોટ શહેરને આ વાયરસ મુકત કરવાનું બીડું ઝડપ્યું છે. આ સેવાયજ્ઞમાં શ્રી પ્રકાશભાઈ પટેલનો સતત સહયોગ મળી રહ્યો છે.

(4:06 pm IST)