Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

રૈયા ગામમાં એપાર્ટમેન્ટના પાંચમા માળેથી ઝંપલાવી સિવિલ હોસ્પિટલના લેબ ટેકનીશ્યન હેતલબેનનો આપઘાત

છૂટાછે઼ડા થયા'તા મૃતક હેતલબેન ત્રિવેદી માતા સાથે રહે'તીઃ માનસીક ટેન્શનના કારણે પગલું ભર્યાનું ખુલ્યું

રાજકોટ તા. ૪: શહેરના રૈયા ગામમાં આવેલા વસંત મલ્હાર એપાર્ટમેન્ટના પાંચમા માળેથી ઝંપલાવી લેબ ટેકનીશ્યન યુવતીએ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ રૈયા ગામમાં આવેલા વસંત મલ્હાર એપાર્ટમેન્ટમાં પાંચમા માળે રહેતા હેતલબેન અજીતભાઇ ત્રીવેદી (ઉ.વ. ૩૬) એ ગઇકાલે પોતાના ફલેટમાં રસોડાની ગેલેરીમાંથી ઝંપલાવી દેતા તેને માથાના ભાગે ગંભીર ઇજા થતા તેનું ઘટના સ્થળેજ મોત નિપજયું હતું. બનાવ બનતા એપાર્ટમેન્ટના રહેવાસીઓ એકઠા થઇ ગયા હતા બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી જાણ થતા યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્સ. ભગીરથસિંહ ખેર તથા રાઇટર પ્રદિપભાઇ કોટકે સ્થળ પર પહોંચી કાર્યવાહી કરી હતી. મૃતક હેતલબેન સિવિલ હોસ્પિટલમાં લેબ ટેકનિશ્યન તરીકે નોકરી કરતા હતા. ચાર વર્ષ પહેલા તેના છુટાછેડા થયા બાદ તેની માતા સાથે રહેતા હતા. તેણે માનસીક ટેન્શનના કારણે આ પગલું ભર્યું હોવાનું પોલીસની તપાસમાં ખુલ્યું છે.

(3:27 pm IST)