Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

ઉદયનગરમાં બીમારી સબબ બેભાન થયા બાદ રાજપાલસિંહ જાડેજાનું મોત

ત્રણ બહેનોના એકના એક ભાઇના મૃત્યુથી પરિવારમાં આક્રંદ

રાજકોટ, તા.૪: મવડી ચોકડી પાસે ઉદયનગરમાં રહેતો યુવાન બીમારી સબબ બેભાન થઇ જતા તેનું સારવાર દરમ્યાન મોત નીપજયુ હતું.

મળતી વિગત મુજબ ઉદયનગર-૧ શેરી નં.૨૩માં રહેતા રાજપાલસિંહ બળદેવસિંહ જાડેજા (ઉ.વ.૨૪) ગઇકાલે પોતાના ઘરે બીમારી સબબ બેભાન થઇ જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નીપજયુ હતું. ત્રણ બહેનોના એકના એક ભાઇના મૃત્યુથી પરિવારમાં શોક વ્યાપી ગયો છે. આ અંગે માલવીયાનગર પોલીસે કાર્યવાહી કરી હતી.

ચંદ્રેશનગરના યુવાનનું બેભાન હાલતમાં મોત

બાલાજી હોલ પાસે ચંદ્રેશનગર-૪માં રહેતા યુવરાજસિંહ લાલુભા ઝાલા (ઉ.વ.૩૫) ગઇકાલે પોતાના ઘરે હતા. ત્યારે તે એકાએક બેભાન થઇ જતા તેને સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નીપજયુ હતું. મૃતક બે ભાઇ બે બહેનમાં મોટા હતા તે સ્કુલવાન ચલાવતા હતા તેને સંતાનમાં એક પુત્ર છે. આ અંગે માલવીયાનગર પોલીસે કાર્યવાહી કરી હતી.

(1:08 pm IST)