Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

રંગીલા હનુમાનજી ધૂન મંડળ દ્વારા ૫૬૦ મણ ઘાસ વિતરણ

રાજકોટઃ શહેરની જાણીતી ધાર્મિક સંસ્થા શ્રી રંગીલા હનુમાનજી ધૂન મંડળ, ગોવિંદબાગ, સંત કબીર રોડ દ્વારા ગૌરી ગૌશાળા અને ભોલેબાબા ગૌશાળા-રૈયા ગામ માટે રૂ. ૯૩૦૦૦ના ખર્ચે ૫૬૦ મણ સુકુ ઘાસ મોકલવામાં આવેલ છે. આ સેવા કાર્ય માટે પ્રમુખ કિશોરભાઈ ઢોલરીયા, ઉપપ્રમુખ રમેશભાઈ ભંડેરી, નરશીભાઈ પ્રજાપતિ, ઘનશ્યામભાઈ મકવાણા, સુરેશભાઈ, વસંતભાઈ, અનિલભાઈ, શૈલુભાઈ, રવજીભાઈ, જગતસિંહ, જયંતિભાઈ પટેલ વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(3:42 pm IST)