Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019
જસદણ વણિક સમાજના ટ્રસ્ટી રસિકભાઇ બાબરીયાનું અવસાન : સોમવારે બેસણું

જસદણ : દશા મોઢ માંડલિયા વણિક શાહ રસીકલાલ શાન્તિલાલ બાબરીયા (ઉ.વ.૭પ) (ટ્રસ્ટી મોઢ વણિક જ્ઞાતિ સમાજ -જસદણ), તે મનીષભાઇ અને હેમલભાઇના પિતાશ્રી તેમજ કિશન અને શ્યામના દાદા તથા ભોગીલાલભાઇ, દિલીપભાઇ (રાજકોટ) અને ગિરીશભાઇના મોટાભાઇનું તા. ૭ ને શનિવારના રોજ જસદણ ખાતે અવસાન થયું છે. તેમનું બેસણું તા. ૯ ને સોમવારના રોજ સાંજે ચાર થી પાંચ ગાયત્રી મંદિર, નવા બસ સ્ટેન્ડ સામે, જસદણ ખાતે રાખવામાં આવ્યું છે. આજે બપોરે ત્રણ કલાકે નીકળેલી તેમની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં વણિક સમાજના લોકો, વેપારીઓ, સગા, સ્નેહીઓ મિત્રો જોડાયા હતાં.

લાભુબેન ટાંક

રાજકોટ : વંથલી નિવાસી ગુર્જર ક્ષત્રિય કડિયા સ્વ. લાભુબેન કેશવજીભાઈ ટાંક (ટાંક બહેન) નિવૃત શિક્ષક વંથલી નગરપાલિકા હાઈસ્કુલનું તા.૬ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૯ના સોમવારના સાંજે ૪ થી ૬ શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ - વંથલી મુકામે રાખેલ છે.

સુરેન્દ્રનગરના નિવૃત્ત શિક્ષક અમીનુદ્દીન શેખની મદીનામાં વફાત : હજ્જયાત્રાએ ગયેલાઃ હૃદયરોગનો હુમલો આવ્યો

વઢવાણ તા. ૭ : સુરેન્દ્રનગર શહેરના જુના જંકશન પાસેજ આવેલ નુરેમોહંમદ સોસાયટી ખાતે રહેતા નિવૃત્ત શિક્ષક મક્કા મદીનામાં પવિત્ર હજયાત્રાએ ગયેલ હતા. ત્યારે મક્કા મદીનામાં હજ્જના અરકાન અદા થઇ ગયા બાદમાં તા.ર/૯/૧૯ ના રોજ મદીના શરીફ ખાતે હાજી અમીનુદ્દીનભાઇ સબીરમીયા શેખ (ઉ.૬૦) મદીના શરીફમા હૃદયરોગનો હુમલો આવવાના કારણે મદીના શરીફમાજ જન્નતનશી થયેલ હતા.

સુરેન્દ્રનગર રહેતા હાજી અમીનુદ્દિનભાઇ શેખના પરીવારજનોની બે દિવસ પહેલાજ તેમના અવસાન અંગેના ખબર મળતા પરિવારમાં શોકનો માહોલ છવાઇ જવા પામ્યો હતો.

સોની જગન્ના લોઢાયાનું દુઃખદ અવસાનઃ સોમવારે બેસણું

રાજકોટઃ સ્વ.સોની જગન્નાથ અમૃતલાલ લોઢીયા (ઉ.વ.૬૯) (મુળ વેરાવળ હાલ રાજકોટ) જે અશ્વીનભાઈ તથા હર્નીશભાઈના પિતાશ્રી તેમજ જેનીશભાઈના ભાઈજી તા.૬ના શ્રીજીચરણ પામેલ છે. તેમનું બેસણું તા.૯ને સોમવાર સાંજે ૪ થી ૬ રાણીંગા વાડી, કાંતાસ્ત્રીગૃહ રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

અવસાન નોંધ

શાસ્ત્રી વિનોદરાય મહેતાનું અવસાન : સોમવારે બેસણું

રાજકોટ  : શાસ્ત્રી સ્વ. વિનોદરાય દિવ્યેશ્વર મહેતા (ઉ.વ.૬૯) તે સ્વ. ત્રંબકલાલ ડી. મહેતા, સ્વ. પ્રવિણચંદ્ર ડી. મહેતા ના ભાઇ તેમજ દિલીપભાઇ મહેતા, અમીતભાઇ મહેતા, જશ્મીનભાઇ મહેતા, મધુરભાઇ મહેતાના કાકા તેેમજ વૈદરાજ હસમુખભાઇ વ્યાસ (માંડવી-કચ્છ) ના બનેવી તથા કમલેશભાઇ પંડયા (પત્રકાર-જુનાગઢ) ના સસરાનું તા.૭ ને રવિવારે અવસાન થયેલ છે.

બેસણું તા.૯ ને સોમવારે સાંજે ૪ થી ૫ નિવાસ સ્થાન, અત્રેશ્વર મહાદેવ મંદિર, રિધ્ધિ સિધ્ધી સોસાયટી શેરી-૨૦ બે માળીયા કવાર્ટસ, એચ.જે. સ્ટીલ સામે, દુધસાગર રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

જસદણઃ મોઢ વણિક સમાજનાં વેપારી રસીકલાલ બાબરીયા (શાહ)નું અવસાન

રાજકોટઃ જસદણ નિવાસી રસીકલાલ શાંતીલાલ બાબરીયાનું તા.૭ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતની સ્મશાનયાત્રા તા.૭ને શનિવારના રોજ બપોરે ૩ કલાકે તેમના નિવાસસ્થાન, જયદેવ સ્ટ્રીટ, જસદણ ખાતેથી નિકળી હતી.

કસ્તુરબેન વસાણીયા

રાજકોટઃ મૂળ મોડપર (મોરબી) હાલ રાજકોટ, કસ્તુરબેન આંબાભાઇ વસાણીયાનુ તા.૭ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૯ ના સોમવારે સાંજે ૪ થી ૬ રાજદીપ સોસાયટી, શેરી નં.૪ , મવડી રાજકોટ ખાતે રાખેલ છે.

લલિતભાઈ ગોહેલ

રાજકોટઃ શ્રી ઝાલાવાડી સઈ સુથાર (દરજી) જ્ઞાતિના ભૂતપૂર્વ પ્રમુખ લલિતભાઈ પરસોત્તમભાઈ ગોહેલ (ગેલોર્ડ ટેઈલર્સ) (ઉ.વ.૭૨) તેઓ કલ્પેશભાઈ  ગોહિલ (શ્રી ઝાલાવડી સઈ સુથાર યુવક મંડળનાં પ્રમુખ) તથા રોહીતભાઈ અને વિનોદભાઈનાં પિતાશ્રી તેમજ સ્વ.હસમુખભાઈ, ભૂપતભાઈ તથા નટુભાઈના ભાઈ તેમજ રાજુભાઈ, રમેશભાઈ તેમજ અલ્પેશભાઈ તથા પારસભાઈના કાકાનું તા.૬ના દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૯ને સોમવારના રોજ સાંજના ૪ થી ૬ કલાકે પંચનાથ મહાદેવનું મંદિર, પંચનાથ પ્લોટ, રાજકોટ ખાતે રાખેલ છે.

પ્રવિણભાઇ પલાણ

રાજકોટઃ પ્રવિણભાઇ રસીકભાઇ પલાણ તે રસીકભાઇ દેવજીભાઇ પલાણના પુત્ર તથા કિશોરભાઇ તથા મહેશભાઇના મોટાભાઇ તથા આનંદના પિતા તથા કાનજીભાઇ ભીમજીભાઇ રાજદેવના જમાઇ તા.૬ના શ્રીજી ચરણ પામેલ છે. તેમનું બેસણું તા.૯ના સોમવારે સાંજે ૪ થી પ, તથા પિયર પક્ષની સાદળી સાથે, હુડકો કવાટર્સ એ-૧૬૪ વેણુ હોટલની સામેની શેરી હુડકો કોઠારીયા રોડ ખાતે રાખેલ છે.

મહેશભાઇ ગઢવી

રાજકોટઃ રાજકોટ ચારણ સમાજના અગ્રણી યુકો બેન્કનાં નિવૃત કર્મચારી ગઢવી મહેશભાઇ નાજાભાઇ બુધશી તે જયુભાઇ (લંડન)નાં નાનાભાઇ અને પ્રદિપ, વંદનાબેન, હેમાલીબેનનાં પિતા, કાનાભાઇ, નાગરભાઇ, રમેશભાઇ અને રુષુભાઇના ભાઇનું તા.૪ના અવસાન થયું છે.

રમેશભાઇ ત્રિવેદી

રાજકોટઃ ઔ. ગુ. સાડા ચારસો મૂળ જસદણ હાલ રાજકોટ નિવાસી રમેશભાઇ છેલશંકર ત્રિવેદી (ઉ.વ.૬પ) તે હરેશભાઇ, રાજેશભાઇ, હેમંતભાઇના મોટાભાઇ તથા અર્ચનાબેન, પ્રિતેશ તથા આનંદના પિતાશ્રીનું તા.૪ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૭ના ધારેશ્વર મહાદેવ મંદિર, ભકિતનગર સર્કલ ખાતે સાંજે ૪ થી ૬ તથા તા.૯ના ગાયત્રી મંદીર જસદણ સાંજે ૪ થી ૬ રાખેલ છે.

મંજુલાબેન જાની

રાજકોટઃ શ્રીગૌડ મેડતવાડ બ્રાહ્મણ મંજુલાબેન વિઠલજી જાની (ઉ.વ.૮પ) તે અશ્વિનભાઇ (ન્યુ ઇન્ડીયા ઇન્સ્યુરન્સ વાળા) તથા ભરતભાઇ તથા બકુલભાઇ (નિવૃત ડી.વાય.એસ.પી.) તેમજ નિતીનભાઇ (એસ.ટી. વાળા) તથા દિનાબેનના માતુશ્રીનું તા.૬ના અવસાન થયેલ છે. સ્વર્ગસ્થનું બેસણું તા.૯ના સાંજે ૪ થી ૬, જાગનાથ મંદિર ખાતે રાખેલ છે.

હરજીવનભાઇ જોશી

ઉના :  છારીયા ઉનેવાળ બ્રાહ્મણ મુળ સરખડી નિવાસી હાલ ધારી હરજીવનભાઇ દયાશંકર જોશી (ઉ.વ.૭૯) તે શાંતીલાલ છોટાલાલ જાની, અનિરૂધ્ધભાઇ છોટાલાલ જાની (રાજકોટ), સ્વ. સુર્યકાન્ત છોટાલાલ જાની ના બનેવી તથા મુકેશભાઇ વિષ્ણુપ્રસાદ જોશી, મિલનભાઇ કિર્તીભાઇ પંડયાના સસરા તા. ૪ ના ધારીમાં અવસાન પામેલ છે. તેમની સાદડી-બેસણું તા.૮ ને રવિવારે સાંજે ૪ થી ૬ બી-પ૩ ''આશુતોષ'' ઉન્નતનગર સોસાયટી, ઉના મુકામે મુકેશભાઇ જોશીના નિવાસ સ્થાને રાખેલ છે.

સંત પ્રેમગીરી બાપુ

રાજકોટ : શ્રીભોયરેશ્વર મહાદેવ થાનગઢ જુના અખાડાના સંત પ્રેમગીરીબાપુ તા. ૬-૯-૧૯ રોજ સવારે ૬ વાગ્યે કૈલાષવાસ થયેલ છે.તેની સમાધી બાડીયાબેલીમુકામે મ. શ્રી રામનાથગીરીજી બાપુ દ્વારા સંતો ભકતોની હાજરીમાં અપાયેલ હોય, તેમનો ઢુલલોટ રવિવાર તા.૮-૯-૧૯ ના રોજ રાખેલ છે.

મેશભાઈ ત્રિવેદી

રાજકોટ : રમેશભાઈ છેલશંકર ત્રિવેદી (ઉ.વ.૬૫)  (મુળ વતન જસદણ હાલ રાજકોટ) (વેસ્ટર્ન રેલ્વે રીટાયર્ડ સી.ટી.આઈ.) તા.૪ના રોજ બુધવારે કૈલાશવાસ થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૯ના સોમવારે ગાયત્રી મંદિર, નવા બસ સ્ટેન્ડ સામે, જસદણ મુકામે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

અમૃતલાલ જયસ્વાલ

વાંકાનેરઃ અમૃતલાલભાઇ મગનલાલભાઇ જયસ્વાલ (ઉ.વ.૭૬) તે સ્વ.બંશીલાલ તથા સ્વ.દિપકભાઇના ભાઇ તથા જીતેન્દ્રભાઇ, મનીષ (લાલાભાઇ)ના પિતાશ્રી તથા પ્રદિપભાઇ, પ્રકાશભાઇ, અંકીતભાઇ તથા વિશાલના ભાયજીનું તા.૬ના અવસાન થયેલ છે. બેસણું તા.૯ને સોમવારે સાંજે ૪ થી ૬ મોઢ જ્ઞાતિની વાડી પ્રતાપ ચોક, વાંકાનેર રાખેલ છે.

શારદાબેન નગદીયા

ચલાલાઃ શારદાબેન હરજીવનદાસ નગદીયા (ઉ.વ.૯૨)નુ મુંબઇમાં અવસાન થયેલ છે. સદ્ગતની પ્રાર્થના સભા આજ રોજ તા.૭ના બપોરે ૪ થી ૬ સુધી શ્રી લોહાણા મહાજનવાડી ચાલાલા ખાતે રાખેલ છે.

કાશ્મિરાબહેન રૂપાભીંડા

ચલાલાઃ કાશ્મિરાબહેન મહેન્દ્રકુમાર રૂપાભીંડા (ઉ.વ.૬૨)નુ ભાવનગરમાં અવસાન થયેલ છે. સદ્ગતની પ્રાર્થના સભા આજરોજ તા.૭ને શનિવારે બપોર બાદ ૪ થી ૬ સુધીનું ચલાલા લોહાણા મહાજન વાડી ચલાલા રાખેલ છે.

અનિલભાઇ સોની

જુનાગઢઃ સોની અનિલભાઇ ચત્રભુજભાઇ ગેડીયા (ઉમર વર્ષ ૬૯) જે સંજયભાઇ ગેડીયા (મહાનગર પાલીકા જૂનાગઢ)તથા રવીભાઇ ગેડીયા (રાધે સાયબર કાફે) તથા ભાવીસાબેન ધોળકીયા (કેશોદ)ના પિતાશ્રીનું તા.૬ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.૭ના રોજ તેમના નિવાસ સ્થાન ભાગ્યદિય એપા.બ્લોક નં.૩૦૯, શેરી નં.૩, સરદાર પરા મેઇન રોડ, જોષીપરા ખાતે સમય સાંજે ૫ થી ૬ કલાકે રાખવામાં આવેલ છે.