Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

દાઉદ ડરપોક હતોઃ ગુન્હો કબુલી લીધો હતો

ડોનની પુછપરછ કરનાર અધિકારીનો ખુલાસોઃ દાઉદે પૈસાથી રાજકારણી, કલાકારો, ક્રિકેટરો વગેરેને ખરીદી લીધા'તા

નવી દિલ્હી, તા.૨૦: ભારતના મોસ્ટ વોન્ટેડ આરોપી દાઉદ ઈબ્રાહિમની પૂછપરછ કરી ચૂકેલા સ્પેશયલ ઈન્વેસ્ટિગેશન અધિકારીએ એક પુસ્તકમાં દાઉદ અંગે મહત્વના ખુલાસા કર્યા છે. તેમાં લખવામાં આવ્યું છે કે, 'ડોન'એક સામાન્ય દેખાતો ડરપોડ માણસ હતો, જેણે સ્વીકાર્યું હતું કે, તે ગુનામાં સામેલ હતો. ભારતીય કસ્ટમ ડિપાર્ટમેન્ટના સુપર કોપ તરીકે જાણીતા ડિરેકટરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સના પૂર્વ ડાયરેકટર બી વી કુમારે પોતાના નવા પુસ્તક 'ડીઆરઆઈ એન્ડ ડોન્સ'માં આ વાત કહી છે.

પુસ્તકમાં અધિકારી લખે છે કે, અંડરવર્લ્ડના એક કથિત ગુનેગાર રાશિદ અરબાએ તેમને દાઉદ ઈબ્રાહિમના શરૂઆતના અડ્ડાઓની જાણકારી આપી. રાશિદે બોલિવૂડના જાણીતા અભિનેતા દિલીપ કુમારની બહેન સાથે લગ્ન કર્યા હતા. બી વી કુમારે કહ્યું કે, અંડરવર્લ્ડ ડાઙ્ખન, ખાસ કરીને દાઉદ ઈબ્રાહિમ અને હાજી મસ્તાન પર પુસ્તક લખવાનો તેમનો ઉદ્દેશ્ય દક્ષિણ એશિયાની સૌથી ખૂંખાર ગેંગો સામે શરૂઆતની કડક કાર્યવાહીમાં ડીઆરઆઈના અદ્વિતીય યોગદાન વિશે જણાવવાનો હતો.

કુમારે કહ્યું કે, 'ડીઆરઆઈ દાઉદને કસ્ટડીમાં લેવા, તેની પૂછપરછ કરવા અને તેની સામે સીઓએફઈપીઓએસએ (COFEPOSA) અંતર્ગત કેસ કરનારી પ્રમુખ એજન્સી હતી. મેં જયારે દાઉદને પડકયો (જુલાઈ ૧૮૮૩) તો ગુજરાત હાઈકોર્ટમાં તેની તાત્કાલીક સુનાવણી માટે એક અરજી કરવામાં આવી. ડોન તરફથી કોર્ટમાં રામ જેઠમલાણી ઉપસ્થિત રહ્યા.'

બાદમાં જામીન મેળવી અને દુબઈ ભાગી જનારો દાઉદ ડીઆરઆઈ દ્વારા સીઓએફઈપીઓએસએ અંતર્ગત હજુ પણ વોન્ટેડ છે. આ કેસ બી વી કુમારે કર્યો હતો. કુમાર ભારતીય રેવન્યુ સર્વિસ (આઈઆરએસ)ના એ કેટલાક અધિકારીઓમાંથી છે, જેમણે ડીઆરઆઈની સાથે-સાથે નાર્કોટિકસ કન્ટ્રોલ બ્યૂરોનું પણ નેતૃત્વ કર્યું છે. તેમની કરિયર શાનદાર રહી, જેમણે મુંબઈમાંથી અંડરવર્લ્ડની કુખ્યાત ગેંગોને કચડી નાંખી.

દાઉદ સાથે પોતાની અથડામણને યાદ કરતા કુમારે કહ્યું કે, તેઓ ૮૦ના દાયકાના મધ્યમાં અમદાવાદમાં કસ્ટમ કમિશનર તરીકે નિયુકત હતા. ત્યારે દાઉદ અને કરીમ લાલાની ગેંગ વચ્ચે લોહીયાળ સંઘર્ષને કારણે ત્યાં ભયનો માહોલ હતો, જેનાથી મહારાષ્ટ્ર અને ગુજરાતમાં શાંતિ-વ્યવસ્થા ખરાબ રીતે પ્રભાવિત હતી. કુમારે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે, એક દિવસ પોરબંદરથી મોટર માર્ગે મુંબઈ પાછા આવતી વખતે, કારમાં પાછળની સીટ પર બેઠેલા તેમના સહયોગી દ્વારા ચલાવાયેલી ગોળી ભૂલથી દાઉદને લાગી ગઈ. તેમણે ડી-કંપનીના વિરોધી લાલાની નજીકના સાથીદાર આલમઝેબ પર નિશાન લગાવ્યું હતું.

પૂર્વ આઈઆરએસ અધિકારીએ પોતાના પુસ્તકમાં ખુલાસો કર્યો કે, ગોળી દાઉદની ગરદનમાં વાગી, પરંતુ ઈજા સામાન્ય હતી. ડોનને વડોદરાની સયાજી હોસ્પિટલમાં લઈ જવાયો. તેમણે કહ્યું કે, 'મને ઘટનાની જાણ કરવામાં આવી અને મેં તરત વડોદરાના પોલીસ કમિશનર પી કે દત્તા સાથે વાત કરી.' કુમારે કહ્યું કે, શ્નબાદમાં પૂછપરછમાં દાઉદે સ્વીકાર્યું કે તે બે નંબરનો ધંધો કરે છે. તે મારી સાથે હિંદીમાં વાત કરી રહ્યો હતો. મને તે એક શાંત માણસ લાગ્યો, જે શાંત દેખાતો હતો. દત્તાની ઓફિસમાં લગભગ અડધો કલાક પૂછપરછ ચાલી. તે પછી હું અમદાવાદ પાછો આવી ગયો અને સીઓએફઈપીઓએસએ અંતર્ગત દાઉદ સામે ધરપકડ વોરન્ટ પ્રાપ્ત કર્યું.

કુમારને જયારે પૂછવામાં આવ્યું કે, દાઉદ એશિયાના સૌથી ખતરનાક ડોનમાં કેવી રીતે સામેલ થઈ ગયો, તો તેમણે કહ્યું કે, રાજકીય ઈચ્છા શકિતનો અભાવ તેની પાછળ મોટું કારણ જણાઈ રહ્યું છે. તેમણે કહ્યું કે, દાઉદે બધાને રૂપિયાથી ખરીદી લીધા. બોલિવૂડ કલાકારોથી લઈને ક્રિકેટર અને કદાચ કેટલાક મોટા રાજકારણીઓને પણ. પરંતુ મારા માનવા મુજબ, ભારતે સંયુકત આરબ અમીરાત (યુએઈ) સાથે પ્રત્યર્પણ સંધિ કરતા જ દાઉદે દુબઈ છોડવું પડ્યું અને તેણે પાકિસ્તાનમાં સ્થાયી શરણ લઈ લીધું. તેમણે કહ્યું કે, શ્નતે હવે એટલો પ્રભાવશાળી નથી રહ્યો, જેટલો તે દુબઈમાં હતો, જયાં દ્યણા સેલિબ્રિટીઝની સાથે ખભે ખભો મીલાવી ચાલતો હતો.લૃ કુમારનું માનવું છે કે, દાઉદ હાલમાં સાજો નથી અને તે કદાચ પોતાના છેલ્લા શ્વાસ સુધી પાકિસ્તાનમાં જ રહેશે.

(11:31 am IST)