Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

નાણામંત્રી કોણ છે તે અંગે મોદીને કોંગીનો નવો પ્રશ્ન

મનિષ તિવારી દ્વારા પ્રશ્ન

નવી દિલ્હી,તા. ૧૮ : કોંગ્રેસના નેતા મનિષ તિવારીએ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશના નાણામંત્રી અંગે ખુલાસો કરવા અપીલ કરી હતી. અરુણ જેટલી અથવા તો પીયુષ ગોયેલમાંથી દેશના નાણામંત્રી કોણ છે તે અંગે ખુલાસો કરવા માટે મોદીને અપીલ કરવામાં આવી છે. પીએમઓ અને નાણામંત્રાલયની વેબસાઈટ ઉપર આપવામાં આવેલી માહિતીનો ઉલ્લેખ કરીને મનિષ તિવારીએ આ મુજબની વાત કરી છે. પીએમઓ અને નાણામંત્રાલયની વેબસાઇટ ઉપર ઉપલબ્ધ માહિતીનો ઉલ્લેખ કરતા તિવારીએ આ અંગેના પ્રશ્ન કર્યા હતા. તિવારીએ કહ્યું છે કે, હજુ સુધી આ મામલે દુવિધાભરી સ્થિતિ છે. નાણામંત્રાલય અને પીએમઓ બંનેમાં જુદી જુદી વાત કરવામાં આવી છે. ૧૪મી મેના દિવસે પીયુષ ગોયેલને અરુણ જેટલીની સારવારના કારણે નાણામંત્રાલયની વધારાની જવાબદારી સોંપવામાં આવી હતી. અરુણ જેટલીએ આ મહિનામાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સમાં કિડની ટ્રાન્સપ્લાન્ટનું સફળ ઓપરેશન કરાવ્યું છે. જેટલીની ગેરહાજરીના ગાળા દરમિયાન પીયુષ ગોયેલને તેમની જવાબદારી સોંપાઈ છે.

(7:58 pm IST)