Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

રાહુલે વડાપ્રધાન બનવા હજુ ૧૫ વર્ષ રાહ જોવી પડશેઃ રામદાસ આઠવલે

 નવી દિલ્હીઃ કેન્દ્રિય મંત્રી રામદાસ આઠવલે એ કહ્યું હતુ કે, કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને વડાપ્રધાન બનવા માટે હજું ૧૦-૧૫ વર્ષની રાહ જોવી પડશે. જો કે તેમણે જણાવેલ  કે, વડાપ્રધાન બનવાની મહાત્વાકાંક્ષા રાખવી એમાં કાંઇ ખોટુ નથી.કર્ણાટકના ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ વડાપ્રધાન બનવાની ઇચ્છા પ્રગટ કરી હતી અને કહ્યું હતુ કે જો ૨૦૧૯માં કોંગ્રેસ સતા પર આવશે તો તેઓ વડાપ્રધાન બનશે.  આઠવલેએ કહ્યું કે, નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી નેશનલ ડેમોક્રેટીક એલાયન્સ ૨૦૧૯માં ફરી વખત કેન્દ્રમાં સતા પર આવશે. એટલુ જ નહીં, આઠવલેએ એમ કહ્યું કે, ભાજપ કર્ણાટકની ચૂંટણી જીતી જશે અને સતા હાંસલ કરશે. કોંગ્રેસ ભાજપને દલિત વિરોદી ચિતરી રહી છે પણ લોકો શાણા છે અને તેઓ નક્કી કરશે કે કોણ સાચુ છે. રામદાસ આઠવલેએ ભીમકારેગાંવની મુલાકાત લીધી હતી અને આ હિંસામાં પુજા સાકેતનું ઘર સળગાવી દેવામાં આવ્યું હતુ તેની મુલાકાત લીધી હતી. પુજા આ હિંસાની સાક્ષી હતી અને તેની લાશ ગયા મહિને કુવામાંથી મળી હતી. પુજાના કુંટુબીજનોએ આક્ષેપ કર્યો હતો કે, કયાં તો તેને મરવા મજબૂર કરી હતી અથવા તેની હત્યા થઇ હતી.

(2:12 pm IST)