Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

રાજસ્થાનમાં દિવાક મંદિરમાં માનતા પુરી કરવા ચઢાવાય હાથકડી-બેડીઓ

રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લામાં આવેલું દિવાક મંદિર તેની વિશેષતા માટે જાણીતું છે. આ મંદિરમાં શ્રદ્ધાળુઓ પોતાની માનતા પુરી કરવા માટે આવે છે. અહીં લોકો પોતાની માનતા પુરી કરવા માટે પ્રસાદ નહીં પરંતુ હાથકડી લાવે છે. પ્રાચિન સમયમાં આ મંદિરમાં ડાકુઓ આવતા હતા. તેઓ હાથકડીઓ અને બેડીઓ ચડાવીને તેઓ પોતાના સાથીઓને જેલમાંથી મુક્ત કરાવવાની માનતા રાખતા હતા.

(2:24 pm IST)