Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

અયોધ્યાની સાંસ્કૃતિક વિરાસતને સાથે મળી વૈભવશાળી બનાવીએ : યોગી

લખનઉ : અયોધ્યામાં રામ મંદિર નિર્માણ અવસરે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ ભારોભાર ખુશી વ્યકત કરી જણાવ્યુ કે આ ખરેખર આનંદનો અવસર છે. જો કે મંદિર નિર્માણ ભલે ટ્રસ્ટ કરે, પરંતુ પુરી અયોધ્યાપુરીની સાંસ્કૃતિક વિરાસતને વૈભવશાળી બનાવવાનું આપણે સૌએ સાથે મળીને કરવાનું છે.

જન્મભુમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલદાસે જણાવેલ કે કરોડો લોકોની ઇચ્છા હતી કે રામલલ્લાનું ભવ્ય મંદિર બને. ભકતોની ભાવના હવે સાકાર થવા જઇ રહી છે.

સંઘ પ્રમુખ મોહન ભાગવતજીએ જણાવ્યુ કે આજે આનંદની ક્ષણો છે. સંકલ્પપૂર્તિનો અનહદ આનંદ છે. અનેક લોકોએ બહુ મોટો ભોગ આપ્યો. આ એનું પરિણામ આજે ખુશીના રૂપમાં મળ્યુ.

(4:25 pm IST)