Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

ઈમ્ફાલમાં વિસ્ફોટ : આતંકવાદીઓએ પોલીસને ટાર્ગેટ બનાવી કર્યો હુમલો : ચાર જવાન ગંભીર

વિસ્તારમાં આ બ્લાસ્ટ થયો છે ત્યાં બિહારના લોકો મોટી સંખ્યામાં રહે છે

નવી દિલ્હી : મણિપુરની રાજધાની ઈમ્ફાલમાં વિસ્ફોટ થયો છે, જેમાં 4 પોલીસના જવાન ગંભીર રીતે ઘાયલ થયા છે. આતંકી હુમલામાં ઘાયલ થયેલા જવાનોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે સમગ્ર વિસ્તારને ખાલી કરી દીધો છે, અને હુમલાખોરની તપાસ તેજ કરી છે.

પોલીસે સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આસપાસના લોકોને ઘટનાસ્થળ પરથી હટાવી દીધા છે. હુમલો પોલીસને ટાર્ગેટ બનાવીને જ કરવામાં આવ્યો છે. જે વિસ્તારમાં આ બ્લાસ્ટ થયો છે ત્યાં બિહારના લોકો મોટી સંખ્યામાં રહે છે. આ મામલે પોલીસે કેસ દાખલ કરી તપાસ શરૂ કરી દીધી છે.

હજુ સુધી કોઈ ઉગ્રવાદી સંગઠને આ બ્લાસ્ટની જવાબદારી લીધી નથી. મણીપુરમાં ઉગ્રવાદ વધ્યો છે, જો કે સુરક્ષાદળ અને પોલીસની સક્રિયતાને કારણે અહીં સ્થિતિ સામાન્ય છે. પરંતુ કોઈને કોઈ ઉગ્રવાદી સંગઠન ઉત્તર-પૂર્વના રાજ્યોમાં સક્રિય થવાના પ્રયાસો કરી રહ્યાં છે

(12:12 pm IST)