Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

વાંકાનેરના વૃદ્ધનો કોરોનાનો રીપોર્ટ નેગેટીવ

પોલીસ અને તબીબોની હાજરીમાં બપોરે અંતિમવિધિ થયા બાદ રીપોર્ટ આવતા તંત્રને હાશકારો

વાંકાનેર, તા. ૧ :. વાંકાનેરના ૬૫ વર્ષના વૃદ્ધનું શંકાસ્પદ કોરોનાથી મોત થયાની ચર્ચા બાદ આજે સાંજે તેમનો કોરોનાનો રીપોર્ટ નેગેટીવ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

પ્રાપ્ત માહિતી મુજબ મોરબી જીલ્લાના વાંકાનેરમાં સરકારી હોસ્પીટલ પાછળ રહેતા ૬૫ વર્ષના યાસીનભાઈ મહમદભાઈ નાગોરીને એક-બે દિવસથી તાવ, શરદી, ઉધરસ થયા હતા અને વધુ તબીયત લથડતા તેમને રાજકોટની સિવીલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.

રાજકોટ સીવીલ હોસ્પીટલમાં તેમના 'કોેરોના'ના રીપોર્ટ કરવામાં આવ્યા હતા. તેમના સેમ્પલ લેવાયા બાદ રીપોર્ટ આવે તે પહેલા જ મુસ્લિમ પ્રૌઢનું મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે.

મુસ્લિમ  વૃદ્ધના મૃતદેહની અંતિમવિધિ આજે બપોરે વાંકાનેર ખાતે પોલીસ અને તબીબોની હાજરીમાં કરવામાં આવી હતી. ત્યાર બાદ આજે સાંજે આ વૃદ્ધનો રીપોર્ટ નેગેટીવ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

(4:39 pm IST)