Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

મક્કા-મદીનાની મસ્જિદો બંધ રહી શકતી હોય તો પછી ભારતની મસ્જિદો બંધ કરવામાં શું વાંધો ? : જાવેદ અખ્તરનું મોટું નિવેદન

દેશની મસ્જિદો બંધ રાખવાની પ્રચંડ માંગ વચ્ચે જાણીતા લેખક જાવેદ અખ્તરનું નિવેદન

નવી દિલ્હી : કોરોના વાયરસે  સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે વિશ્વના ઘણા દેશો આને કારણે સંપૂર્ણપણે લૉકડાઉન થઈ ગયા છે. દેશમાં આ ચેપના વધતા જતા ફેલાવાને જોતાં લૉકડાઉન 21 દિવસનું આપવામાં આવ્યું છે. દરેકને 'સામાજિક અંતર' એટલે કે શોશિયલ ડિસ્ટન્સ જાળવવાની સલાહ આપવામાં આવી રહી છે. પરંતુ તે દરમિયાન, દિલ્હીના નિઝામુદ્દીનમાં તબલિગ-એ-જમાતમાં ભાગ લેવા 2 હજારથી વધુ લોકો પહોંચ્યા હતા. જેના કારણે સમગ્ર દેશમાં કોરોનાનું જોખમ ફેલાયું છે ત્યારે હવે દેશની મસ્જિદોને બંધ કરાવવાની પ્રચંગ માંગણી મુસ્લિમ સમુદાયમાંથી જ ઉઠી છે. આ માંગણીને ફિલ્મ જગતના જાણીતા લોકોનો પણ સહયોગ મળી રહ્યો છે. જાવેદ અખ્તરે કહ્યું છે કે મક્કા-મદીનાની મસ્જિદો બંધ રહી  શકતી હોય તો પછી ભારતની મસ્જિદોને બંધ કરવામાં શું સમસ્યા છે?

  અહીં હાજર લોકોમાં મલેશિયા, ઇન્ડોનેશિયા, સાઉદી અરેબિયા અને કિર્ગીસ્તાન જેવા દેશોના લોકો હતા. આવી સ્થિતિમાં હવે લઘુમતી પંચના ભૂતપૂર્વ અધ્યક્ષ તાહિર મહેમૂદે કોરોના વાયરસના આ ખતરાને ધ્યાનમાં રાખીને આ કટોકટીમાં મસ્જિદો બંધ કરવાનો ફતવો આપવા દારૂલ ઉલૂમ દેવબંદને કહ્યું છે. તેમની આ માંગણને જાણીતા લેખક અને કવિ જાવેદ અખ્તરે સમર્થન આપ્યું છે.

જાવેદ અખ્તરએ એક ટ્વીટમાં લખ્યું છે કે, 'લઘુમતી પંચના વિદ્વાન અને ભૂતપૂર્વ અધ્યક્ષ તાહિર મહમૂદ સાહેબે દારૂલ ઉલૂમ દેવબંદને કોરોના સંકટ ચાલુ ન થાય ત્યાં સુધી તમામ મસ્જિદો બંધ રાખવા માટેનો ફતવો આપવા કહ્યું છે. હું આ માંગને પૂર્ણ સમર્થન આપું છું. જો કાબા અને મદીનાની મસ્જિદો બંધ કરી શકાય છે, તો ભારતની મસ્જિદો કેમ બંધ કરી શકાતી નથી.

(12:00 am IST)