Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

હાર્દિકનો કટાક્ષ

'આવી સલાહ એક ચાવાળો જ આપી શકે છે'

નવી દિલ્હી તા. ૨૨ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ એક પ્રાઈવેટ ચેનલને આપેલા ઈન્ટર્વ્યુમાં રોજગારની વાત કરી હતી. તેમના રોજગારના નિવેદન પર રાજકીય ધમાસણ સર્જાયુ હતું. પહેલા ઉત્ત્।ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ અને હવે પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલે પીએમ પર નિશાન સાધ્યું છે.હાર્દિક પટેલે ટ્વિટ કરી છે કે, બેરોજગાર યુવાનને ભજિયાની લારી લગાવવાની સલાહ એક ચાવાળો જ આપી શકે છે, અર્થશાસ્ત્રી આવી સલાહ નથી આપતા. પટેલે આ પીએમ મોદી માટે 'ચા વાળો' શબ્દનો ઉપયોગ કરીને કટાક્ષ કર્યો છે.વડાપ્રધાન મોદીના આ નિવેદન પર ઉત્ત્।રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે ટ્વિટ કરીને કહ્યુ હતું કે, આ બેરોજગાર યુવાનોની મજાક ઉડાવવા સમાન છે.વડાપ્રધાને કહ્યુ હતું કે, જો કોઈ વ્યકિત ભજિયા વેચે છે અને સાંજે ૨૦૦ રૂપિયા કમાઈને પાછો ફરે છે તો તેને રોજગાર માનશો કે નહીં માનો?

(3:58 pm IST)