Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

ગુજરાતમાં ''એઇમ્સ''ના નિર્માણથી સામાન્ય માનવીને શ્રેષ્ઠ તબીબી સુવિધાઓ મળશેઃ રૂપાણી

નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારતની દરેક જીલ્લામાં મેડિકલ કોલેજ બનાવવાનું લક્ષ્યાંકઃ કેન્દ્રીય મંત્રી ડો. હર્ષવર્ધન : રાજકોટ એઇમ્સના એકેડેમિક સેશન ર૦ર૦-ર૧નો : શુભારંભ

રાજકોટ, તા. ૨૧ : કેન્દ્રિય આરોગ્ય મંત્રીશ્રી હર્ષવર્ધન અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રી રૂપાણી દ્વારા પ્રથમ એકેડેમિક સેશન ૨૦૨૦-૨૧નો ઇ-શુભારંભ થયો છે. પ્રથમ બેંચમાં ૫૦ વિદ્યાર્થીઓએ એમબીબીએસમાં પ્રવેશ મેળવ્યો હતો.

નવી દિલ્હીથી કેન્દ્રિય આરોગ્ય મંત્રીશ્રી ડો. હર્ષવર્ધનની અધ્યક્ષતામાં અને ગાંધીનગરથી ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની ખાસ ઉપસ્થિતિમાં આજે રાજકોટ એઈમ્સના એકેડેમિક સેશન ૨૦૨૦-૨૧નો ઇ-શુભારંભ કરવામાં આવ્યો છે. જેમાં પ્રથમ બેંચમાં ૫૦ વિદ્યાર્થીઓએ નીટના માધ્યમથી એમબીબીએસમાં પ્રવેશ મેળવ્યો છે.

આ તકે કેન્દ્રિય મંત્રીશ્રી ડો. હર્ષવર્ધને જણાવ્યુ હતું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારતના દરેક જિલ્લામાં મેડિકલ કોલેજ બનાવવાનું લક્ષ્યાંક છે. ભારતમાં હાલ એમબીબીએસની અંદાજે ૪૨,૪૦૦થી વધુ બેઠકો ઉપલબ્ધ છે.  કેન્દ્રિય આરોગ્ય મંત્રાલય ડબલ્યુએચઓના લક્ષ્યાંક મુજબ આરોગ્ય સેવા ભારતમાં ઉપલબ્ધ કરાવવા કટિબદ્ઘ છે. તમામ નવી હોસ્પિટલમાં સુપર સ્પેશિયાલિટી હેલ્થ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. એઈમ્સ રાજકોટના પ્રોજેકટ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યુ છે કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સૌરાષ્ટ્ર અને ગુજરાતની વર્ષો જૂની એઈમ્સની માંગણી પૂર્ણ કરી છે. ગુજરાત સરકારે એઈમ્સ માટે જરૂરી જમીન અને સુવિધાઓ ઉપલબ્ધ કરાવી. એઈમ્સ રાજકોટનો શિલાન્યાસ આગામી સમયમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે કરાશે. ગુજરાતમાં એઈમ્સના નિર્માણથી સામાન્ય માનવીને શ્રેષ્ઠ તબીબી સુવિધાઓ મળશે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારતમાં IIT, IIM, AIIMS જેવી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં સતત વધારો. ગુજરાતમાં અગાઉ માત્ર ૧૦ યુનિવર્સિટીઓ જયારે આજે ૭૦ યુનિવર્સિટીઓ કાર્યરત. ગુજરાતના વિદ્યાર્થીઓને હવે તબીબી અભ્યાસ માટે અન્ય રાજયોમાં જવું નહી પડે. ૨૧મી સદી જ્ઞાનની સદી એટલે કે ભારતની સદી છે. એઈમ્સ રાજકોટમાં એમબીબીએસમાં પ્રવેશ મેળવનાર તમામ ૫૦ વિદ્યાર્થીઓને અભિનંદન મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ આપ્યા હતા.

કેન્દ્રિય આરોગ્ય રાજય મંત્રીશ્રી અશ્વિનીકુમાર ચોબેએ જણાવ્યુ કે  ગુજરાતમાં એઈમ્સનો પ્રારંભ એ આરોગ્ય ક્ષેત્રે નવી ક્ષિતિજો સર કરશે.  પૂર્વ વડાપ્રધાનશ્રી અટલજીનું તમામ રાજયોમાં એઈમ્સનું સ્વપ્ન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં સાકાર થઈ રહ્યું છે. નર સેવા થકી નારાયણ સેવાનું સ્વપ્ન સાકાર કરીશું. એમબીબીએસ વિદ્યાર્થીઓને અભિનંદન આપતા મંત્રીશ્રી અશ્વિનીકુમાર ચોબેએ અભિનંદન પાઠવ્યા હતા.

નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલએ જણાવ્યુ કે  વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ એઈમ્સ આપીને સૌરાષ્ટ્ર અને કચ્છની જનતાનું વર્ષો જૂનું સ્વપ્ન સાકાર કર્યું છે. તમામ જિલ્લામાં મેડિકલ કોલેજોની મંજૂરી આપવાનું કાર્ય શરૂ થઇ ગયું છે.

એઈમ્સ રાજકોટના વિદ્યાર્થીઓ ગુજરાત, ભારત અને વિશ્વમાં તબીબી ક્ષેત્રે નામના મેળવે તેવી શુભેચ્છાઓ આપતા નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલએ આપી હતી.

રાજકોટ ખાતે સાંસદશ્રી મોહનભાઇ કુંડારિયાએ પ્રાસંગિક ઉદ્દબોધન કરીને એઈમ્સની પ્રથમ બેંચના ૫૦ એમબીબીએસના વિદ્યાર્થીઓને સફળ કારકિર્દી માટે શુભેચ્છાઓ આપી હતી. જયારે એઈમ્સ રાજકોટના પ્રમુખ ડો. પી. કે. દવેએ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતુ.

આ પ્રસંગે કાર્યક્રમના સ્થળ ખાતે સાંસદશ્રી પૂનમબેન માડમ, સાંસદશ્રી ડો. અમીબેન યાજ્ઞિક, ગાંધીનગર ખાતે આરોગ્ય વિભાગના અગ્રસચિવશ્રી ડો. જયંતિ રવિ, જયારે રાજકોટ ખાતે આરોગ્ય કમિશનર શ્રી જયપ્રકાશ શિવહરે, જિલ્લા કલેકટરશ્રી રેમ્યા મોહન, મનપા કમિશનરશ્રી ઉદિત અગ્રવાલ, પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ સહિત કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયના અધિકારીઓ, ખ્ત્ત્પ્લ્ રાજકોટ અને ખ્ત્ત્પ્લ્ જોધપુરના ફેકલ્ટી, વિદ્યાર્થીઓ ઓનલાઇનના માધ્યમથી જોડાયા હતા.

(4:59 pm IST)