Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

વડોદરા: નંદેસરી જીઆઈડીસીમાં ગેરકાયદે કેમિકલનું પ્રવાહી ખાળકૂવામાં નાખતી કંપની ઝડપાઇ

વડોદરા:નંદેસરી જીઆઈડીસીમાં જીપીસીબીની ટીમે તપાસ કરતાં પલ્લવી પાવરટેક સેલ્સ પ્રા.લી. કંપની દ્વારા કેમિકલયુક્ત પ્રવાહીનો ગેરકાયદે ખાળકુવામાં નિકાલ કરવામાં આવતુ હોવાના ઘટસ્ફોટ થતાં જીપીસીબીની ટીમે ત્યાંથી કેમિકલયુક્ત પ્રવાહીના નમુના લઈ આ બનાવની ગાંધીનગર ખાતે વડી કચેરીમાં રિપોર્ટ કર્યો છે.

નંદેસરી જીઆઈડીસીની કંપનીઓ દ્વારા ગેરકાયદે કેમિકલયુક્ત પ્રવાહીનો નિકાલ કરવામાં આવતો હોવાની ફરિયાદના પગલે ગઈ કાલે બપોરે બે વાગ્યાથી જીપીસીબીની પ્રાદેશિક કચેરીના અધિકારી નીરજભાઈ શાહ સહિતની ટીમે જીઆઈડીસીમાં તપાસ શરૃ કરી હતી. આ પૈકી એક સ્થળે જીપીસીબીની ટીમ દ્વારા સ્થાનિક રહીશો તેમજ પર્યાવરણ બચાવ સમિતિના કાર્યકરોની હાજરીમાં જેસીબીથી ખાડો ખોદવામાં આવતા ત્યાંથી કેમિકલયુક્ત પ્રવાહી મળી આવ્યું હતું. 

(5:31 pm IST)