Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઘરફોડ ચોરી કરનાર દાહોદના 3 ગઠિયાને દબોચ્યા

આણંદ: લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને વિદ્યાનગર પોલીસને છેલ્લા ત્રણ-ચાર મહિનાથી આણંદ અને વિદ્યાનગરમાં હાહાકાર મચાવતી દાહોદની ગેંગના ત્રણ સાગરિતોને ઝડપી પાડવામાં સફળતા મળી છે. પ્રાથમિક પુછપરછમાં ૧૫થી વધુ ઘરફોડ ચોરીઓના ભેદ ઉકેલાવા પામ્યા છે. 

પ્રાપ્ત વિગતો અનુસાર પેટ્રોલીંગ કરી રહેલી એલસીબીની ટીમે વિદ્યાનગરના શાસ્ત્રી મેદાન પાસેથી એક શકમંદને ઝડપી પાડીને તેની અંગજડતી કરતાં એક ચાંદીનો સિક્કો મળી આવ્યો હતો જેથી તે અંગે પુછપરછ કરતાં તે કોઈ સંતોષકારક જવાબ આપી શક્યો નહોતો. જેથી તેને એલસીબી પોલીસ મથકે લાવીને નામઠામ પુછતાં તે કરશનભાઈ કાળુભાઈ કિશોરી (રે. સીમલીયા, દાહોદ)નો હોવાનું ખુલવા પામ્યું હતુ.તેની પુછપરછ કરતાં તેના સાગરિતો ઉમેશ રૂપસીંગ સંગાડા, દિનેશ નરસિંગ મુનિયાના નામો ખુલ્યા હતા. 

 

(5:29 pm IST)