Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

ગુજરાતમાં સ્વાઇન ફલુએ ૧૨પનો ભોગ લીધો

ઠંડી ઘટતા રોગચાળાનો તબકકાવાર ઘટાડોઃ આ વર્ષે ૪૨૯૬ કેસ નોંધાયા

અમદાવાદ, તા.૧૮: અમદાવાદ સહિત રાજયભરમાંથી સ્વાઇન ફ્લૂના પ્રભુત્વમાં આખરે ઘટાડો નોંધાઇ રહ્યો છે. અમદાવાદમાં સ્વાઇન ફ્લૂના ૩૫ કેસ નોંધાયા હતા અને ૧ વ્યકિતનું મૃત્યુ થયું હતું. આ સાથે જ ગુજરાતમાં ૨૦૧૯ના વર્ષમાં સ્વાઇન ફ્લૂથી કુલ મૃત્યુઆંક ૧૨૫ને પાર થયો છે.

આજે અમદાવાદ કોર્પોરેશન ખાતેથી સૌથી વધુ ૭, વડોદરા કોર્પોરેશનથી ૬, આણંદથી ૫, પાટણ-ભાવનગર કોર્પોરેશન-અરવલ્લીથી ૩-૩, જામનગર કોર્પોરેશનથી ૨, બનાસકાંઠા-રાજકોટ કોર્પોરેશન-ખેડા-દ્વારકા-ભાવનગર-મહીસાગરથી ૧-૧ વ્યકિત સ્વાઇન ફ્લૂની ઝપેટમાં આવી હતી. આમ, ૨૦૧૯ના વર્ષમાં ગુજરાતમાંથી સ્વાઇન ફ્લૂના ૪૨૯૬ કેસ નોંધાઇ ચૂકયા છે. આજે ૧ વ્યકિતનું સ્વાઇન ફ્લૂથી મૃત્યુ થયું હતું.

૧ જાન્યુઆરી ૨૦૧૯થી અત્યારસુધી ૩૭૬૫ વ્યકિતએ સ્વાઇન ફ્લૂને મા'ત આપેલી છે જયારે ૩૬૦ દર્દીઓ હજુ સારવાર હેઠળ છે. છેલ્લા ૭ દિવસમાં સ્વાઇન ફ્લૂના ૩૧૫ કેસ નોંધાયા છે અને ૭ વ્યકિતના મૃત્યુ થયા છે.

ગુજરાતમાં  છેલ્લા ૬ દિવસમાં સ્વાઇન ફ્લૂના કેસ

 

તારીખ

કેસ

મૃત્યુ

 

૧૧

માર્ચ

૪૫

૦૧

૧૨

માર્ચ

૫૦

૦૧

૧૩

માર્ચ

૫૨

૦૧

૧૪

માર્ચ

૪૪

૦૧

૧૫

માર્ચ

૫૩

૦૧

૧૬

માર્ચ

૪૬

૦૧

૧૭

માર્ચ

૩૫

૦૧

કુલ

 

૩૧૫

૦૭

(4:08 pm IST)