Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

આનંદીબેન કે અનાર પટેલ લોકસભાની ચૂંટણી નહિ લડે

ઉમેદવાર પસંદગી ટાણે જ ગુજરાત મુલાકાતથી આવ્યો ગરમાવો

રાજકોટ, તા. ૧૮ ભાજપના પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકો ચાલી રહી છે તેવા ટાણે જ મધ્યપ્રદેશના રાજયપાલ અને રાજયના પૂર્વ મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ ૪ દિવસની ગુજરાતની મુલાકાતે આવતા રાજકીય ગરમાવો આવી ગયેલ. તેઓ ગાંધીનગર લોકસભા પરથી ચૂંટણી લડશે તેમજ આનંદીબેન અને અમિતભાઇ શાહના જુથ વચ્ચે ખેંચતાણ હોવાની વાતો વહેતી થયેલ. આજે ભાજપના ટોચના વર્તુળોએ આનંદીબેન લોકસભાની ચૂંટણી લડે તેવી શકયતા ભારપૂર્વક નકારી છે.

આનંદીબેને અઢી વર્ષ પહેલા ૭પ વર્ષની વયમર્યાદાના કારણે મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપેલ. જાન્યુઆરી ર૦૧૮થી તેઓ મધ્યપ્રદેશના રાજયપાલ છે. અમદાવાદ ગાંધીનગર બેઠક માટે તેમના સુપુત્રી અનાર પટેલનું નામ ગાજેલ, પરંતુ ભાજપના વર્તુળો તેમની ચૂંટણી લડવાની શકયતા પણ નકારે છે.

(4:02 pm IST)