Gujarati News

Gujarati News

News of Sunday, 15th April 2018

અમદાવાદના સરદારનગરમાં સગીરાની તસ્કરીનો પર્દાફાશ : બે મહિલા સહીત ચારની ધરપકડ

કિશોરીનું અપહરણ કરીને રાજસ્થાનમાં 50 હજારમાં વેચી દીધાનું ખુલ્યું :એક વર્ષથી ગુમ સગીરાની શોધખોળ કરતા કૌભાંડ બહાર આવ્યું

અમદાવાદના સરદાર નગરમાં સગીરાની તસ્કરીનો પર્દાફાશ થયો છે.આ મામલે પોલીસે બે મહિલા સહિત ચાર આરોપીની ધરપકડ કરી છે કિશોરીનું અપહરણ કરીને રાજસ્થાનમાં 50 હજારમાં વેચી દીધી હોવાનું તપાસમાં ખુલ્યું છે.
    અમદાવાદના સરદારનગરમાં એક વર્ષ પહેલાં 14 વર્ષની સગીરાના ગુમ થવાના કેસમાં માનવ તસ્કરીના કૌભાંડનો પર્દાફાશ થયો છે પોલીસે રાજસ્થાનની બે મહિલા સહિત 4 આરોપીની ધરપકડ કરીને સગીરાને સલામત છોડાવીને પરિવારને સોંપી છે.
   રાજસ્થાનના જોધપુરની મૈના લુહાર, મોહન કાણીયા, પિંકી નામની મહિલાએ સગીરનું અપહરણ કરીને રાજુ ઢોલી નામના વ્યક્તિને  50 હજારમાં લગ્ન કરવા માટે વેચી દીધી હોવાનું તપાસમાં ખુલ્યું છે. રાજુ ઢોલીના લગ્ન નહીં થતા હોવાથી મૈના અને મોહને સગીરાનું અપહરણ કર્યું. સગીરાને વસ્તુ લઈ આપવાના બહાને રાજસ્થાન લઈ ગયા અને રાજુને 50 હજારમાં વેચી દીધી.
   એક વર્ષથી ગુમ સગીરાની પોલીસે મુસ્કાન ઓપરેશન હેઠળ શોધખોળ શરૂ કરી. ત્યારે માનવ તસ્કરીના કૌભાંડનો પર્દાફાશ થયો. માનવ તસ્કરી કેસમાં પોલીસે ચારેય આરોપીના પાંચ રિમાન્ડ મેળવ્યા છે. આ રેકેટમાં વધુ સગીરાને વેચી હોવાની શક્યતાના પગલે પૂછપરછ શરૂ કરી છે.

(12:16 am IST)