Gujarati News

Gujarati News

News of Sunday, 15th April 2018

નર્મદા પરિક્રમામાં લાખોની સંખ્યામાં પરિક્રમાર્થીઓ ઉમટ્યા : અસુવિધાને કારણે ધક્કામુક્કી સર્જાય

સુરત :  હાલ ચાલતી નર્મદા પરિક્રમામાં રાજયમાંથી લાખોની સંખ્યામાં પરિક્રમાર્થીઓ ઉમટી પડયા છે. પુરતી સુવિધાને અભાવે ધક્કામુક્કી પણ સર્જાય છે. અત્યારે સીકયુરીટીનો પણ અભાવ છે. ૪૧ ડીગ્રી તાપમાનમાં ૧૦ થી વધુ બેભાન થયા છે. નવાઇની વાત એ છે કે પરિક્રમાના રૂટ પર કે નજીકમાં ૧૦૮ મોબાઇલ તથ રખાઇ નથી તંત્ર જાણે કોઇ મોટી દુર્ઘટના સર્જાય તેની રાહ જોઇ રહી છે તેવો પ્રશ્ન લોકોમાં ચર્ચાઇ રહ્યો છે.

(4:32 pm IST)