Gujarati News

Gujarati News

News of Sunday, 15th April 2018

વિપક્ષના નેતા પરેશ ધાનાણી દર મંગળવારે વિધાનસભા કાર્યાલયમાં જનતા દરબાર ભરશે

પ્રજાના પ્રશ્નો સાંભળીને ઝડપી ઉકેલ માટે કાર્ય કરશે :કાર્યાલયમાં કોઈપણ વ્યક્તિ એપોઇન્ટમેન્ટ વિના મળી શકશે

અમદાવાદ :વિપક્ષના નેતા પરેશ ધાનાણી હવેથી દર મંગળવારે વિધાનસભા કાર્યાલયમાં જનતા દરબાર ભરશે તેમણે જણાવ્યું છે કે દર મંગળવારે વિધાનસભા વિપક્ષના કાર્યાલયમાં કોઈપણ વ્યકિત કે કાર્યકર તેમના પ્રશ્નો સાથે તેમને એપાઈનમેન્ટ વિના મળી શકશે.તેમજ તેમની પાસે આવેલા પ્રશ્નોનો સરકાર સમક્ષ મૂકીને તેનો ઝડપી ઉકેલ આવે તે દિશામાં કાર્ય કરવામાં આવશે.આ નિર્ણયથી વિપક્ષ કોંગ્રેસ તેની આક્રમક અને પ્રજાલક્ષી ભૂમિકા ભજવવામાં સફળ થશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો છે.

 

(12:10 pm IST)