Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

કલોલમાં કપિરાજના આતંક: 11 શખ્સોને બચકા ભરતા વન વિભાગની ટીમે ભારે જહેમત બાદ પાંજરામાં પૂર્યો

કલોલ:ના પૂર્વમાં છેલ્લા એક અઠવાડીયાથી હડકાયા વાંદરાએ રીતસરનો આતંક મચાવી ૧૧ વ્યક્તિઓને બચકા ભરી ઘાયલ કરી દીધા હતા ત્યારે વનવિભાગની ટીમે ભારે જહેમત બાદ હડકાયા વાંદરાને આજે પાંજરે પુરી દીધો હતો. જેથી સ્થાનિકોએ પણ રાહતનો દમ લીધો હતો.

કલોલના પૂર્વ વિસ્તારમાં છેલ્લા એક અઠવાડીયાથી હડકાયા વાંદરાએ ભારે આતંક મચાવ્યો હતો. કુલ ૧૧ વ્યક્તિઓને નિશાન બનાવી હડકાયા વાંદરાએ બચકા ભરતાં લોકોમાં ફફડાટ પણ વ્યાપી ગયો હતો. વાંદરાના ડરથી લોકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ ગયું હતું. ત્યારે છેલ્લા ત્રણ દીવસથી વન વિભાગની ટીમે કલોલમાં ધામા નાંખ્યા હતા. ત્યારે આજે ભારે જહેમત અને રેસ્કયુ બાદ વાંદરાને પાંજરે પુરવામાં વન વિભાગને સફળતા મળી હતી. જો કે હજુ પણ પૂર્વ વિસ્તારના નાગરિકોમાં વાંદરાનો ડર યથાવત છે. કારણકે હડકાયો વાંદરો પુરાયો છે કે કેમ તે અંગે હજુ પણ કોઈ સ્પષ્ટતા થઈ નથી. નાગરિકોમાં હજુ પણ અંગે શંકા સાથે ભયનો માહોલ યથાવત છે.

(5:13 pm IST)