Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

માર્ગ-મકાન વિભાગના ૩ મુખ્ય ઈજનેરોની બદલીઃ ૬ અધિક્ષક ઈજનેરોને બઢતી

રાજકોટના વાય.એમ. ચાવડાની ગાંધીનગર (વિશ્વ બેન્ક)માં બઢતી સાથે બદલી

રાજકોટ, તા. ૭ :. રાજ્ય સરકારે માર્ગ-મકાન વિભાગના ૩ મુખ્ય ઈજનેરોની બદલીના અને ૬ અધિક્ષક ઈજનેરોની બઢતી સાથે બદલીના હુકમ કર્યા છે. આ હુકમ ગઈકાલે વિભાગના નાયબ સચિવ કોમલ ભટ્ટની સહીથી પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે.

પંચાયતના મુખ્ય ઈજનેર અશોક કે. પટેલને હાઉસીંગ બોર્ડમાં મુખ્ય ઈજનેર તરીકે, નીતિ અને આયોજનના મુખ્ય ઈજનેર કે.એમ. પટેલને મત્સ્યોદ્યોગ કમિશનર કચેરીમાં મુખ્ય ઈજનેર તરીકે તથા આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા મુખ્ય ઈજનેર પી.જે. ભગદેવને નીતિ અને આયોજનમાં મુકવામાં આવ્યા છે.

૬ અધિક્ષક ઈજનેરોને મુખ્ય ઈજનેર તરીકે બઢતી આપવામાં આવી છે. જેમાં યુરોપીયન કમિશન કચેરી-ગાંધીનગરના બી.સી. પટેલને મુખ્ય ઈજનેર પી.આઈ.યુ. તરીકે આરોગ્ય વિભાગમાં મુકવામાં આવ્યા છે. સુરત વર્તુળના પી.એમ. ચૌધરી મુખ્ય ઈજનેર પાટનગર યોજના તરીકે તેમજ માર્ગ વિકાસ નિગમના પી.કે. સંઘવી જી.યુ.એમ.ડી. ગાંધીનગરમાં મુકાયા છે. અમદાવાદ વર્તુળ-૧ના કે.કે. પટેલને મુખ્ય ઈજનેર પંચાયત તરીકે તેમજ વડોદરાના એસ.સી. મોદીને વહીવટી સંચાલક જી.એસ.આર.ડી.સી. ગાંધીનગર તરીકે મુકવામાં આવ્યા છે. રાજકોટ વર્તુળ-૨ના અધિક્ષક ઈજનેર વાય.એમ. ચાવડાની મુખ્ય ઈજનેર તરીકે બઢતી સાથે ગાંધીનગર (વિશ્વ બેન્ક)માં નિમણૂક થઈ છે.

(11:48 am IST)