Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

નર્મદા જિલ્લામાં કોરોનાના વધુ 6 કેસ પોઝીટીવ નોંધાયા : જિલ્લાનો કુલ આંકડો ૪૪૪એ પહોંચ્યો

રાજપીપળા -સાગબારાના એક એક અને નાંદોદના ધારીખેડાના 4 દર્દી પોઝીટીવ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં દિવસે દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું હતું હાલ કોરોના સંક્રમણ ઘટ્યું હોય તેમ લાગી રહ્યું છે ત્યારે આજે નર્મદા જિલ્લામાં આજે ૬ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે.
              નર્મદા જિલ્લા એપેડેમીક ડીસીઝ ઓફિસર ડૉ આર એસ કશ્યપ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ ગુરુવારે નર્મદા જિલ્લા માં ૬ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે જેમાં રાજપીપળામાં ૧ દર્દી ચાંદની ચોકના કોરોના પોઝિટિવ છે ઉપરાંત સાગબારા માં ૧ અને નાંદોદના ધારીખેડામાં ૪ સહિત જિલ્લામાં કુલ ૬ પોઝિટિવ દર્દી નોંધાયા છે.
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં હાલ ૨૬ દર્દીઓ સારવાર હેઠળ છે અને કોવિડ કેર સેન્ટર માં ૪૪ દર્દી દાખલ છે આજે ૭ દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે આજદિન સુધી નર્મદા જિલ્લામાં ૩૭૧ દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે સાથેજ નર્મદા જિલ્લામાં કોરોના પોઝિટિવ નો કુલ આંકડો ૪૪૪ એ પોહોચ્યો છે આજે વધુ ૨૭૨ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

(8:31 pm IST)