Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

પાલનપુરના વેપારીની હત્યાનો ભેદ ઉકેલી આરોપીને તાકીદે ઝડપવા માંગ : કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

વેપારીની ઝાડ સાથે બાંધીને સળગાવી દીધેલી હાલતમાં લાશ મળી હતી

મોડાસા:બનાસકાંઠાના પાલનપુરના જુના લક્ષ્‍મીપુરા વિસ્તારના નવલપાર્ક સોસાયટીમાં રહેતા અને શહેરમાં તાલુકા પંચાયત આગળના કોમ્પ્લેક્ષમાં ચિલ્ડ્રનવેરની દુકાન ધરાવતા વેપારી દલપતભાઈ ઈશ્વરભાઈ પ્રજાપતિ ઉઘરાણી જવાનું કહીને નીકળ્યા બાદ મોડી સાંજે આકેસણ નજીક વેપારીની ઝાડ સાથે બાંધીને સળગાવી દીધેલી હાલતમાં લાશ મળી આવતા ભારે ચકચાર મચી હતી.

 આ ઘટનાને ૨૨ દિવસથી વધુ સમય થયો હોવા છતાં પોલીસ હત્યાનો ભેદ ઉકેલવામાં નિષ્ફળ રહેતા પ્રજાપતિ સમાજમાં ધીરે ધીરે પોલીસતંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉદભવી રહ્યા છે ત્યારે અરવલ્લી જીલ્લા અખીલ ભારતીય પ્રજાપતિ સંઘ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી યોગ્ય ન્યાયિક તપાસ થાય અને હત્યારાઓને ઝડપી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવેની માંગ કરી હતી. અરવલ્લી જિલ્લા અધિક કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સમાજના આગેવાનો ચીમકી ઉચ્ચારી છે કે જો સત્વરે યોગ્ય નહીં ન્યાય નહીં મળે તો તેઓને ગાંધીજીના માર્ગે જવાની ફરજ પડશે.

(11:42 am IST)