Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

અમદાવાદમાં કોરોના પોઝિટિવ મહિલા દર્દીનું મોત : ગાંધીનગર હોસ્પિટલમાંથી 4 દર્દીઓને રજા અપાઈ

મૃત્યુઆંક રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 100થી વધી છે. આજે વધુ 10 કેસ રાજ્યભરમાં નોંધાયા છે. આજે કોરોના પોઝિટિવ દર્દી મહિલા જેની ઈંદોરની ટ્રાવેલ હિસ્ટ્રી હતી તેમનું અવસાન અમદાવાદની હોસ્પિટલમાં થયું છે.

 બીજીતરફ ગાંધીનગરના 4 દર્દીને હોસ્પિટલથી રજા આપવામાં આવી છે. આજે ગાંધીનગરની હોસ્પિટલમાંથી 23 વર્ષની યુવતિ, 27 વર્ષની યુવતી અને ડાયાબિટીસ સહિતની બીમારીઓ ધરાવતા 80 વર્ષના વૃદ્ધા તેમજ 50 વર્ષના પુરુષ દર્દી રિકવર સારવાર બાદ થતાં તેમને રજા આપવામાં આવી છે.

(11:20 am IST)