Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

ગુજરાતમાં ૪૫.૧૭ લાખ લીટર દૂધનું થયેલ વિતરણ

ગુજરાતમાં લોકડાઉનના આઠમાં દિવસે પગલા : રાજ્યમાં ૧૦૪૩૩૩ ક્વિન્ટલ શાકભાજી અને ૧૬૫૬૨ ક્વિન્ટલ ફળફળાદીની આવક : સહાયતા માટે કોલ મળ્યા

અમદાવાદ,તા.૧ : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના વાયરસના સંક્રમણ સામે સતર્કતા રૂપે દેશભરમાં જાહેર થયેલા ર૧ દિવસના લોકડાઉનની સ્થિતીમાં રાજ્યના અંત્યોદય શ્રમજીવી અને પીએચએચ રેશનકાર્ડ ધારકોને ખાદ્ય અન્ન વિનામૂલ્યે તા. ૧ એપ્રિલથી વિતરણ કરવા કરેલી જાહેરાતનો રાજ્યભરમાં અમલ શરૂ થઇ ગયો છે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે આ અંગેની વિગતો સાથે રાજ્યમાં આવશ્યક ચીજવસ્તુઓના પૂરવઠા-ઉપલબ્ધિની વિગતો પ્રચાર માધ્યમો સમક્ષ આપી હતી. તેમણે કહ્યું કે, રાજ્યની ૧૭ હજાર જેટલી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી વિનામૂલ્યે વિતરણ માટે ઘઉં, ખાંડ અને ચોખાનો સંપૂર્ણ જરૂરિયાત મુજબનો જથ્થો પહોચાડી દેવાયો છે. મીઠું ૭ર ટકા અને ચણા દાળનો ૮૭ ટકા જથ્થો વિતરણ માટે પહોંચી ગયો છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું. અશ્વિનીકુમારે જણાવ્યું કે, મુખ્યમંત્રીએ રાજ્યના સરકાર માન્ય સસ્તા અનાજના દુકાનધારકો અને અન્ન નાગરિક પુરવઠા વિભાગને સ્પષ્ટપણે તાકીદ કરી છે કે અનાજ વિતરણની આ વ્યવસ્થામાં સોશિયલ ડિસ્ટન્સીંગ જળવાય એટલું જ નહિ, લોકો ભીડભાડ ન કરે તેની ખાસ વ્યવસ્થાઓ ગોઠવાય.

               મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રવર્તમાન લોકડાઉનની સ્થિતીમાં રાજ્યમાં નિરાધાર, વૃદ્ધ, નિઃસહાય અને એકલવાયું જીવન જીવતા લોકોને બે ટાઇમ ભોજન મળી રહે તે માટે સંવેદનશીલતાથી સમગ્ર તંત્રને પ્રેરિત કર્યુ છે. આ સંદર્ભમાં રાજ્યભરમાં અત્યાર સુધીમાં રર લાખ ૩પ હજાર ૭પપ ભોજન ફૂડપેકેટસ સ્થાનિક સત્તાતંત્રોએ સેવા સંગઠનો-સ્વૈચ્છિક સંગઠનોના સહયોગથી વિતરીત કર્યા છે તેની વિગતો મુખ્યમંત્રીના સચિવે આપી હતી. તેમણે જણાવ્યું કે, લોકડાઉનની સ્થિતીમાં જરૂરતમંદ વ્યકિતઓને તબીબી સેવા-સહાય-ખાવા-પીવાની વ્યવસ્થા સહિતની મદદ માટે સ્ટેટ હેલ્પ લાઇન ૧૦૭૦ને અત્યાર સુધી રરપ૩ કોલ્સ અને જિલ્લા હેલ્પ લાઇન ૧૦૭૭ને ૯૩૪ર કોલ્સ મળ્યા છે તેમાં રાજ્ય સરકારે સંભવ મદદ પૂરી પાડી છે.

           મુખ્યમંત્રીના સચિવે રાજ્યમાં દૂધ, શાકભાજી વગેરેના પુરવઠાની માહિતી આપતાં જણાવ્યું કે, બુધવારે રાજ્યમાં ૪૬-૧૭ લાખ લિટર દૂધનું વિતરણ થયું છે. રાજ્યમાં બુધવારે સવારે ૧ લાખ ૪ હજાર ૩૩૩ કવીન્ટલ શાકભાજી અને ૧૬પ૬ર કવીન્ટલ ફળફળાદિની આવક થઇ છે તેમ અશ્વિનીકુમારે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યુ કે, બટાટા રપ૩૧૧ કવીન્ટલ, ડુંગળી ર૯૭૦૦ કવીન્ટલ, ટામેટા ૮૦૦પ કવીન્ટલ અને અન્ય લીલા શાકભાજી ૪૧૩૧પ કવીન્ટલના જથ્થામાં ઉપલબ્ધ છે. ચૈત્રી નવરાત્રિના ઉપવાસ વ્રત કરનારા ભાવકોને ફળફળાદિ પણ સરળતાએ અને પૂરતી માત્રામાં મળી રહે છે તેમ તેમણે કહ્યું હતું. આ સંદર્ભમાં વિગતો આપતાં અશ્વિનીકુમારે ઉમેર્યુ કે, ૪૮૯ કવીન્ટલ સફરજન, ૯૦ર કવીન્ટલ કેળાં અને ૧૬પ૬ર અન્ય ફળોની આવક રાજ્યમાં થઇ છે. મુખ્યમંત્રીના સચિવ સાથે આ વેળાએ અન્ન નાગરિક પુરવઠા સચિવ મોહમદ શાહિદ અને નાગરિક પુરવઠા નિગમના કાર્યકારી એમડી તુષાર ધોળકીયા પણ જોડાયા હતા.

વિવિધ ચીજોનું વિતરણ

બુધવારેના દિવસે આંકડા શું રહ્યા

અમદાવાદ, તા. ૧ : મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે આજે અનેક મહત્વની માહિતી પુરી પાડી હતી. તેમણે કહ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં સોમવારે પણ સેવા જારી રહી હતી. રાજ્યમાં જુદી જુદી ચીજવસ્તુઓનું જરૂરિયાત લોકો સુધી વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ પ્રવાહ યથાવતરીતે જારી છે. વિતરણ માટેની જાહેરાત અમલી બની ચુકી છે. આજે કઇ ચીજોનું કેટલું વિતરણ થયું તે નીચે મુજબ છે.

દૂધનું વિતરણ........................... ૪૫.૧૪ લાખ લીટર

ક્વિન્ટલ શાકભાજી માર્કેટમાં......... ૧૦૪૩૩૩ ક્વિન્ટલ

ફળફળાદી માર્કેટમાં........................ ૧૬૫૬૨ ક્વિન્ટલ

બટાકા માર્કેટમાં............................. ૨૫૩૧૧ ક્વિન્ટલ

ડુંગળીનો જથ્થો માર્કેટમાં............... ૨૯૭૦૦ ક્વિન્ટલ

ટામેટાનો જથ્થો માર્કેટમાં.................. ૮૦૦૫ ક્વિન્ટલ

લીલાશાકભાજી માર્કેટમાં................. ૪૧૩૧૫ ક્વિન્ટલ

સફરજન માર્કેટમાં.............................. ૪૮૯ ક્વિન્ટલ

કેળા માર્કેટમાં.................................... ૯૦૨ ક્વિન્ટલ

અન્ય ફળો માર્કેટમાં....................... ૧૬૫૬૨ ક્વિન્ટલ

(8:50 pm IST)