Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

'પાનીપત'નું 'મન મેં શિવા' ગીત લોન્ચ

ફિલ્મમેકર આશુતોષ ગોવારીકરની ફિલ્મ 'પાનીપત'નું ધમધોકાર શુટીંગ ચાલી રહ્યું છે. આ ફિલ્મના ગીત 'મન મેં શિવા'નું ભવ્ય લોંચીંગ કરવામાં આવ્યું હતું. ગીતમાં ત્રણ શિવ એટલે કે ભગવાન શિવ, છત્રપતિ શિવાજી અને સદાશિવ રાવ ભાઉને માનવંદના કરવામાં આવી છે. આશુતોષ હમેંશા દર્શકોને સ્ક્રિન પર વિશાળ ભવ્યતા દેખાડે છે. દર્શકો માટે પણ આ અનુભવ અદ્દભુત હોય છે. મર્દ મરાઠા જેવું ગીત લોકોને પસંદ પડ્યા પછી મન મેં શિવા ગીત રજૂ કરાયું છે. આ ગીત અર્જૂન કપુર, ક્રિતી સેનન તથા બીજા કલાકારો પર ફિલ્માવાયું છે. મન મેં શિવા ગીત એક વિજય ઉત્સવ છે, દિલ્હીના લાલ કિલ્લા પર મરાઠાઓને જીત મેળવી હતી ત્યારે સદાશિવ રાવ ભાઉએ નેતૃત્વ સંભાળ્યું હતું. આ ગીત લાલ કિલ્લા પર પહેલીવાર મરાઠા ઝંડો ફરકાવાયો હતો તેના પર આધારીત છે. પ્રભાવશાળી સંગીતકાર અજય-અતુલે આ ગીતમાં સંગીત આપ્યું છે. જાવેદ અખ્તરે ગીત લખ્યું છે. કૃણાલ ગાંજાવાલા, દિપાંશી નાગર, પદ્મનાભ ગાયકવાડે સ્વરબધ્ધ કર્યુ છે. આશુતોષે કહ્યું હતું અમારે લાલ કિલ્લા પર મરાઠાઓના ભવ્ય વિજયના જશ્ન માટે ગીતની જરૂર હતી, અજય-અતુલે શાનદાર ગીત આપ્યું છે. રાજૂ ખાનની કોરિયોગ્રાફી પણ જબરદસ્ત છે. આ ફિલ્મ છઠ્ઠી ડિસેમ્બરે રિલીઝ થશે.

 

(10:55 am IST)