Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

મને ટાઇપકલાસ થવાનો ડર નથીઃ દિવ્યાંકા ત્રિપાઠી

ટીવી શો યે હૈ મહોબ્બતે અને નચ બલીયે થકી લાખો ચાહકો ઉભા કરી ચુકેલી ટીવી અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી કહે છે કે મને એક જ પ્રકારના રોલ નિભાવતી અભિનેત્રીનું લેબલ મળે તો તેમાં વાંધો નથી. તે કહે છે મને ટાઇપકલાસ બનવાનો ડર નથી, તેનાથી ડરવાની જરૂર પણ નથી. તેને પડકાર તરીકે લઇને હું કામ કરતી રહુ છું.

મેં મારી કારકિર્દીમાં અલગ-અલગ ભૂમિકા નિભાવી છે. રિયાલીટી શો પણ કર્યા છે. મને વિશ્વાસ છે કે ભવિષ્યમાં પણ હું જુદી-જુદી ભૂમિકા નિભાવતી રહી છે. યે હૈ મહોબ્બતેમાં મા-દિકરીના રિલેશન પરની કહાની છે. જેમાં રમણ ભલ્લા (કરણ પટેલ) અને ઇશિતા ઐયર (દિવ્યાંકા)ની પ્રેમગાથા તેની દિકરી રૂહી (રૂહાનિકા ધવન)ને કારણે જોડાયેલી છે. એકતાએ અનેક ખટમીઠી પળોને આ શો સાથે જોડી દીધી છે.

 

(9:19 am IST)