Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

ભારતે કેન્યાની હરાવી ચાર દેશના ઈન્ટરકોન્ટિનેંટલ ફુટબોલ કપની ફાઈનલમાં

નવી દિલ્હી: ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં મહેન્દ્રસિંહ ધોની અને વિરાટ કોહલીના પ્રશંસકો દ્વારા મેદાન વચ્ચે તેમના પગે લાગતા પળ તમામને યાદ હશે, કંઈક આવુ જ ફુટબોલના મેદાનમાં પણ થયુ. સોમવારે ઈંટરકોન્ટિનેંટલ કપમાં ભારત અને કેન્યા વચ્ચે મુકાબલો યોજાયો હતો. જેમાં ભારતે કેન્યાને ૩-૦થી હરાવી દીધુ. મેચ પૂર્ણ થવા સમયે એક પ્રશંસક મેદાનમાં ઘુસી આવ્યો હતો અને તે ભારતીય ટીમના કેપ્ટન સુનીલ છેત્રીના પગે લાગ્યો હતો. 

આપને જણાવી દઈએ કે આ સુનિલ છેત્રીની ૧૦૦મી મેચ હતી, જે તેણે બે ગોલ ફટકારી ખાસ બનાવી દીધી હતી. આ મેચમાં ભારતે સરળતાથી કેન્યાને હરાવી દીધુ હતું. આ મેચ ભારતીય ફુટબોલ ટીમના કેપ્ટન સુનિલ છેત્રી માટે ઘણી મહત્વની હતી. આ તેની કારકિર્દીની ૧૦૦મી મેચ હતી. આ મેચમાં બે ગોલ કરી તેણે આ મેચને પોતાના માટે યાદગાર બનાવી દીધી હતી. સુનિલ છેત્રીના સિવાય જેજે લાલપેખલુઆએ આ મેચમાં એક ગોલ કર્યો હતો. આ જીત સાથે જ ભારત ચાર દેશના ઈન્ટરકોન્ટિનેંટલ ફુટબોલ કપની ફાઈનલમાં પહોંચી ગયુ છે. 
આ મેચને જોવા માટે મોટી સંખ્યામાં ફુટબોલ પ્રશંસકો હાજર રહ્યા હતા. આ મેચ પહેલા બધી ટીકીટનુ વેચાણ થઈ ગયુ હતું. આ મેચ પહેલા છેત્રીએ ભારતીય ચાહકોથી સમર્થનની ભાવુક અપીલ પણ કરી હતી. ત્યારબાદ રમત જગત સહિત બીજા ક્ષેત્રોના દિગ્ગજ હસ્તીઓએ તેની અપીલનુ સમર્થન કર્યુ હતું.

(3:52 pm IST)